અમેરિકામાં કોરોનાને પરાસ્ત કરનારા અનેક બાળકોમાં જે બિમારી દેખાઇ હતી તે અમદાવાદ અને ગુજરાતમાં પણ જોવા મળતાં ચિંતા સર્જાઇ છે. કોરોના મટી ગયા બાદ કેટલાક અઠવાડિયામાં કોઇ બાળકોને મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન (એમઆઇએસસી) સામે ઝઝૂમવું પડે છે અને કેટલાક કિસ્સામાં તે જીવલેણ પણ બની શકે છે.
મલ્ટિસિસ્ટમ ઇન્ફલેમેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન એટલે MIS-C
સુરત બાદ અમદાવાદના બાળકોમાં પણ દેખાયા લક્ષણો
અમદાવાદમાં 40-50 બાળકોમાં MIS-Cના લક્ષણો
અમેરિકામાં કોરોનાને પરાસ્ત કરનારા અનેક બાળકોમાં મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન નામની જે બિમારી દેખાઇ હતી તે અમદાવાદ અને ગુજરાતમાં પણ જોવા મળી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ચિંતાનો માહોલ સર્જાયો છે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં લગભગ 40 થી 50 બાળકોમાં MIS-C જોવા મળી હોવાનું પિડિયાટ્રિશ્યન્સનું કહેવું છે. આપને જણાવી દઈએ કે, કોરોનાને મ્હાત કર્યા બાદ કેટલાક અઠવાડિયામાં અમુક બાળકો મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન નામની બીમારીનો ભોગ બને છે..જે કેટલાક કિસ્સામાં જીવલેણ પણ બની શકે છે. જો કે ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટના મતે બાળકને યોગ્ય સારવાર આપવામાં આવે તો આ ગંભીર બિમારીમાંથી બાળકને બહાર લાવી શકાય છે.
MIS-Cના લક્ષણો સમજો
103થી 105 ડિગ્રી ઊંચો તાવ આવવો
બાળકોને ઝાડા-ઉલટી થવા
બાળકોની આંખો લાલ થવી
શરીર પર ચકામા થવા
નબળાઇ લાગવી
બાળકોને કેમ થાય છે MIS-C?
મલ્ટિસિસ્ટમ ઇન્ફલેમેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન એટલે MIS-C
સુરત બાદ અમદાવાદના બાળકોમાં પણ દેખાયા લક્ષણો
અમદાવાદમાં 40-50 બાળકોમાં MIS-Cના લક્ષણો
કોરોના થયો હોય તેવા 2 ટકા બાળકોને MIS-C થવાની શકયતા
કોરોનામાંથી સ્વસ્થ થયાના ત્રણ થી છ અઠવાડિયામાં MIS-C થઇ શકે છે.
કોરોનાના કારણે બાળકોમાં જોવા મળતી શરીરના વિવિધ અંગોને અસર કરતી બીમારી