દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 19459 કેસ આવ્યા છે તો સાથે જ 380 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં હવે કોરોનાના 2 લાખ 10 હજાર 120 એક્ટિવ કેસ છે. અત્યારસુધીમાં 16 હજાર 475 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને સાથે જ 3 લાખ 21 હજાર 722 લોકો રિકવર થયા છે.
દેશમાં કોરોનાના 19459 નવા કેસ
24 કલાકમાં 380 લોકોના મોત
24 કલાકમા 1 લાખ 70 હજાર 560 ટેસ્ટ થયાઃ ICMR
The total number of samples tested up to 28 June is 83,98,362 of which 1,70,560 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/uWiMUF22cL
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અનુસાર રવિવારે દેશમાં કોરોનાના કુલ 1 લાખ 70 હજાર 560 ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધીમાં કુલ 83 લાખ 98 હજાર 362 ટેસ્ટ થયા છે.
380 deaths and 19,459 new #COVID19 cases in last 24 hours. Positive cases in India stand at 5,48,318 including 2,10,120 active cases, 3,21,723 cured/discharged/migrated & 16,475 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/AzEwaXMKoT
તમિલનાડુમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અહીં 1 દિવસમાં 3940 કેસ સામે આવ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 82 હજારને પાર પહોંચી છે. મહારાષ્ટ્રમાં મહામારીએ સૌથી વધુ તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં અહીં સંક્રમણથી 54 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં મૃત્યુ પામનારાની સંખ્યા 1800ને પાર પહોંચી છે. કર્ણાટકમાં એક દિવસમાં 16 મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 200ને પાર પહોંચ્યા છે. અહીં અત્યારસુધીમાં 207 લોકોએ જીવ ગુમાવ્યા છે.