દેશમાં કોરોના સંક્રમણને લઈને સતત કેસ આવી રહ્યા છે ત્યારે હવે દેશમાં કોરોનાનો કુલ આંક 76 લાખની નજીક પહોંચ્યો છે. મંગળવારે 83 દિવસ બાદ પહેલીવાર 50 હજારથી ઓછા કેસ નોંધાયા છે અને મૃતકોની સંખ્યા 500થી વધુ જોવા મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં એક્ટિવ કેસ 10.23 ટકા છે. સાજા થયેલા કેસ 88.26 ટકા છે. આ સાથે આ સંક્રામક રોગથી 1.52 ટકા લોકોના મોત થયા છે.
દેશમાં 83 દિવસ બાદ પહેલી વાર આવ્યા 50000થી ઓછા કેસ
24 કલાકમાં 500થી વધુ દર્દીના થયા મોત
રિકવરી રેટ 88.26 ટકા અને એક્ટિવ કેસ 10.23 ટકા
Mohfwના અનુસાર દેશમાં એક્ટિવ કેસ 7,48,538 છે તો સાજા થનારાની સંખ્યા 67,33,328 છે, અત્યારસુધીમાં 1,15,197ના મોત થઈ ચૂક્યા છે. Mohfwના અનુસાર ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં પોઝિટિવ કેસ રોજના 6.13 ટકા છે. કેન્દ્ર સરકારની ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટીંગ અને ટેક્નોલોજીની રણનિતિ સફળ સાબિત થઈ છે. તેનું પાલન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રગેશોએ પણ પ્રભાવી રીતે કર્યું છે. મંત્રાલયે આ આંકડા આઈસીએમઆરથી મેળવ્યા છે. સોમવારથી મંગળવાર સવાર સુધીના એક દિવસમાં દેશમાં 46790 નવા કેસ આવ્યા છે અને 69720 લોકો સાજા થયા છે. જ્યારે 587 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 75,97,063 છે.
ત્રીજા અઠવાડિયામાં પોઝિટિવ કેસનો દર 6.13 ટકા
સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે સૌથી વધારે 5 પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુનો સમાવેશ થાય છે. અહીં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત ઘટાડો દેખાડે છે કે સતત 3 દિવસોમાં 8 લાખથી નીચે કેસ આવ્યા છે. ICMRએ જાણકારી આપી છે કે સોમવારે દેશમાં 10,32,795 સેમ્પલના ટેસ્ટ થયા છે. કહેવાયું છે કે અત્યાર સુધીમાં 9, 61,16,771 લોકોના સેમ્પલ ટેસ્ટ થયા છે.
भारत में पिछले 24 घंटों में #COVID19 के 46,791 नए मामले सामने आए और 587 हुईं।
कुल पॉजिटिव मामले- 75,97,064
सक्रिय मामले- 7,48,538(कल से 23,517 की गिरावट है)
ठीक/डिस्चार्ज/विस्थापित मामले- 67,33,329(कल से 69,721 की बढ़ोतरी हुई है)
मौतें-1,15,197(कल से 587 की बढ़ोतरी हुई है) pic.twitter.com/5QCGERCWFC
સોમવારે મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના ચેપના 1,015 નવા કેસ નોંધાયા હતા અને આ સાથે રાજ્યમાં અત્યાર સુધી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 1,61,203 રહી છે. છત્તીસગઢમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 13 વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, તો છેલ્લા 24 કલાક દરમિયાન 2376 નવા કેસ આવ્યા છે. રાજ્યમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1,62,772 છે. સોમવારે રાજ્યની હોસ્પિટલોમાંથી સોમવારે 428 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 2011 લોકોએ હોમઆઈસોલેશન પૂર્ણ કર્યું છે. રાજ્યમાં, કોરોના વાયરસના ચેપથી 16 લોકોનાં મોત નીપજ્યાં છે. સોમવારે, ઉત્તરાખંડમાં કોરોના વાયરસના ચેપના 6336 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં કેસની કુલ સંખ્યા 58,360 પહોંચી છે. અત્યાર સુધીમાં ઉત્તરાખંડમાં 933 લોકોના મોત થયા છે. રાજસ્થાનની વાત કરીએ તો અહીં સોમવારે 12 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1760 થયો છે. રાજ્યમાં સંક્રમણનો આંક 1960 નવા કેસ સાથે 175226 થયો છે. મહારાષ્ટ્રમાં 5984 નવા કેસ આવ્યા છે અને અહીં 15069 લોકો સાજા થયા છે. રાજ્યમાં 1284879 લોકો સંક્રમણ મુક્ત થયા છે. પંજાબમાં કોરોનાના 473 નવા કેસ આવ્યા છે અને 17 મોત બાદ કુલ મૃત્યુઆંક 4029 પહોંચ્યો છે. જ્મ્મૂમાં સોમવારે 427 નવા કેસ આવ્યા છે અને 9 દર્દીના મોત થયા છે. અધિકારીઓએ કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ સંક્રમિતની સંખ્યા વધીને 88369 થઈ છે જેમાંથી 1388ના મોત થયા છે.
राज्य स्वास्थ्य विभाग के अनुसार महाराष्ट्र में आज 5,984 नए #COVID19 मामले, 15,069 डिस्चार्ज और 125 मौतें दर्ज़ की गई।
कुल मामले 16,01,365 हो गए हैं, जिसमें 13,84,879 डिस्चार्ज, 1,73,759 सक्रिय मामले और 42,240 मृत्यु शामिल हैं। pic.twitter.com/dQ8q0cABZn
3 મહિના બાદ ગુજરાત માટે કોરોનાને લઇને સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 996 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 14,277 એક્ટિવ કેસ છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52,192 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 996 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,60,722 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 88.85 ટકા થયો છે. ગઈકાલે કોરોના વાયરસે 8 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 3, વડોદરામાં 2 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. ચિંતાની વાત તો એ છે કે કોરોનાના સૌથી વધુ કેસ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં નોંધાઇ રહ્યા છે.