કોરોના વાયરસની મહામારીને કારણે દેશમાં આગામી 31 મે સુધી લૉકડાઉન યથાવત રાખવામાં આવ્યું છે. ત્યારે હિમાચલ સરકારે મોટો નિર્ણય લીધો હતો. હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં લૉકડાઉનનો સમયગાળો વધારીને 30 જૂન કરવામાં આવ્યો છે.
હિમાચલ સરકારનો મોટો નિર્ણય
30 જૂન સુધી સમગ્ર હમીરપુર જિલ્લામાં લૉકડાઉન રહેશે યથાવત
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના હાલ 203 કેસ છે. તો 3 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સાથે જ 63 દર્દીઓ સારવાર સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. હાલ સમગ્ર રાજ્યમાં 137 કેસ એક્ટિવ છે.
દેશમાં કોરોના વાયરસે ભરડો લીધો
નોંધપાત્ર વાત એ છે કે લોકડાઉન હોવા છતાં દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 1 લાખ 38 હજાર થઈ ગઈ છે. સોમવાર, 25 મેના રોજ સતત ચોથા દિવસે દેશમાં કોવિડ -19 ના સૌથી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં, 6,977 નવા કેસ આવ્યા પછી, દેશમાં ચેપના કુલ કેસો 1,38,845 પર પહોંચી ગયા છે જ્યારે મૃત્યુઆંક 4,021 પર પહોંચી ગયો છે.
Coronavirus curfew extended in Himachal Pradesh's Hamirpur district till June 30: Official
આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 154 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોમાં આ સૌથી મોટી સંખ્યા છે. આ પહેલા રવિવારે 6767 નવા દર્દીઓ મળી આવ્યા હતા. જો કે, તે રાહતની વાત છે કે 57721 દર્દીઓ કોરોનાને હરાવી શક્યા છે. તો કોરોના વાયરસના રિકવરી રેટ 41.57 ટકા સુધરી ગયો છે.