હાલમાં જ અમેરિકાના વિશેષજ્ઞોએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જેમાં કહેવાયું છે કે આવનારા 6 અઠવાડિયા એટલે કે લગભગ દોઢ મહિનામાં કોરોનાના કેસની સંખ્યા 10 કરોડને પાર થશે. અત્યારે ભારતના 10 રાજ્યોમાં કોરોનાના 86 ટકા કેસ જોવા મળી રહ્યા છે. અમેરિકાના વિશેષજ્ઞોના આધારે ભારતમાં કોરોના કમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્તરે છે પરંતુ ભારત સરકાર આ વાત સ્વીકારવા તૈયાર નથી. જો કે ભારતમાં અત્યાર સુધી ત્રણ રાજ્યો એટલે કે કેરળ, પશ્ચિમ બંગાળ અને અસમ આ કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાતને સ્વીકારી ચૂક્યા છે.
ભારતમાં વકરતો કોરોના
અમેરિકાના વિશેષજ્ઞનો ચોંકાવનારો દાવો
કોમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત નથી સ્વીકારતી સરકાર
6 અઠવાડિયામાં દેશમાં હશે કોરોનાના 10 કરોડ કેસ
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં લગભગ 50000ની આસપાસ નવા કેસ આવે છે. ફક્ત 3 દિવસમાં 1 લાખ નવા કેસ આવ્યા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આવું રહ્યું તો ભારત જલ્દી જ બ્રાઝિલથી કેસની સંખ્યામાં આગળ નીકળીને વિશ્વમાં બીજા ક્રમે આવશે.
1 સપ્ટેમ્બર સુધી હોઈ શકે છે કે કોરોનાના 35 લાખ કેસ
મળતી માહિતી અનુસાર અંદાજ રાખવામાં આવી રહ્યો છે કે ભારતમાં 1 સપ્ટેમ્બર સુધી કોરોનાના 35 લાખ કેસ આવી શકે છે. અમેરિકાએ કહ્યું કે શક્ય છે કે ભારતમાં પહેલાંથી જ 3 કરોડ પોઝિટિવ કેસ છે અને આવનારા 6 અઠવાડિયામાં આ વધીને 10 કરોડ સુધી પહોંચી શકે છે. તેઓએ કહ્યું કે ચોક્કસ પણ કહી શકાય છે કે ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ચૂક્યું છે.
સરકાર પોતાની છબિ બચાવવાના કરી રહી છે પ્રયાસ
મળતી માહિતી અનુસાર કેટલાક નેતાઓને એ વાતની ચિંતા છે કે કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત સ્વીકાર કરવાને લઈને કહી શકાય કે સરકાર કોરોનાને રોકવામાં સક્ષમ નથી. આ સિવાય લોકડાઉનના સમયે વાયરસને રોકવા માટેના ઉપાયો પણ અસફળ રહ્યા છે.સરકાર માને છે કે તેને પ્રાઈમરી અને સેકન્ડરી કોન્ટેક્ટને ઓળખવા અને સાથે જ આઈસોલેટ કરવામાં અસફળતા મળે. પરંતુ બીમારી પોતાનો પગપેસારો કરી ચૂકી છે.
ફક્ત 10 રાજ્યોમાં છે 86 ટકા સંક્રમિત કેસ
ફક્ત કેરળ, પશ્ચિમ બંગાળ અને અસમમાં સરકારે પોતાના રાજ્યમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મળતી માહિતી અનુસાર 86 ટકા કોરોનાનું સંક્રમણ દેશના 29માંથી 10 રાજ્યોમાં જોવા મળી રહ્યું છે.
થોડા સમયમ પહેલાં જ એક કોન્ફરન્સમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટરે કહ્યું હતું કે ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું નથી. તેઓએ કહ્યું કે ભારત કમ્યુનિટી ટ્રાન્સમિશનમાં નથી. આ એક ટર્મ છે જેનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આપણે ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રેકિંગ અને ક્વૉરન્ટાઈનની રણનીતિને કાયમ રાખવી અને કન્ટેનમેન્ટના ઉપાયો પર સતત કામ કરવામાં સફળતા મેળવવાની છે.