ગુજરાતમાં કોરોનાનો ખતરો દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે લોકો લોકડાઉન સમજી જ નથી રહ્યા અને વધુને વધુ બેદરકાર બની રહ્યા છે. અમદાવાદમાં એક ફ્રુટવેચનારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે ગઈકાલે સુરતમાં પણ 2 શાકભાજી વિક્રેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
2 શાકભાજી વિક્રેતાને કોરોના પોઝિટિવ
સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
શાકમાર્કેટમાં કોરોનાનો પગપેસારો
રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો વધતા જાય છે. ત્યારે સુરતમાં શાકભાજી વિક્રેતાઓમાં પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરતમાં ગતરોજ 2 શાકભાજી વિક્રેતાને કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા શાકમાર્કેટમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. શાકમાર્કેટમાં હજુ પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નથી. શહેરના પાલનપુર રોડ વિસ્તારમાં લોકો એકઠા થયા છે. સમજાવવા છતાં લોકો સમજતા નથી.
અમદાવાદમાં પણ લોકો બેદરકાર
કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે કોરોના વાયરસને લઇને લોકોમાં હજુ પણ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં શાકમાર્કેટમાં લોકો નિયમો પાળતા નથી. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સના નિયમની લોકો ઐસીતૈસી કરી રહ્યાં છે.
ક્લસ્ટર એરિયામાં પણ ભીડ
જમાલપુર, ગુજરીબજાર સહિતના વિસ્તારમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. તો શાક માર્કેટમાં વેપારીઓ પણ માસ્ક પહેરતા નથી. મનપા કમિશ્નર સહિત તંત્રની આટલી ચેતવણી બાદ પણ લોકો બેદરકાર છે.