ગુજરાતમાં શાળાઓની મનમાની સામે આવી છે, સુરત, રાજકોટ અમદાવાદ ગાંધીનગરમાં શાળાઓ વાલીઓને પુસ્તક લેવાને બહાને બોલાવીને તેમની પાસેથી ફી વસૂલી રહી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સપ્ટેમ્બર સુધી ફી ન લેવા જણાવ્યું હતુ પણ શાળાઓ કોઈનેય ગાંઠતી નથી.
અમદાવામાં શાળાઓ દ્વારા વસૂલાઈ રહી છે ફી
સુરતમાં યુરો સ્કૂલની દાદાગીરી
સપ્ટેમ્બર સુધી ફી ન લેવા શિક્ષણમંત્રીએ કરી વાત હતી.
ગાંધીનગરની DPS ની મનમાની
ગાંધીનગરની DPSએ ફી ઉઘરાવવાનું શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા ફી વગર પુસ્તક નથી અપાતા. પુસ્તક માટે સ્કૂલ તરફથી વાલીઓને ફી ભરવા દબાણ કરાયું છે.પહેલા ફી ભરો પછી પુસ્તક મળશે. વાલીઓને બુક લેવાના બહાને સ્કૂલમાં બોલાવાય છે. વાલી સ્કૂલમાં જાય ત્યારે પ્રથમ ક્વાર્ટરની ફી માગે છે. ટ્રાન્સપોર્ટેશન ફી અને એન્યુઅલ ચાર્જ માગવામાં આવે છેય જો વાલી ફી આપે તો જ બુક આપવામાં આવે છે.
સપ્ટેમ્બર સુધી ફી ન લેવા શિક્ષણમંત્રીએ કરી વાત હતી. પ્રથમ ક્વાર્ટરની 39 હજાર ફી માગવામાં આવી. 12 હજાર એન્યુઅલ ચાર્જ, 14 હજાર ટ્યૂશન ફીના ગણાયા. 6,800 ટ્રાન્સપોર્ટેશન ફી પણ માગવામાં આવી છે. જે તે ધોરણની બુક પણ અલગથી ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે.
અમદાવામાં શાળાઓ દ્વારા વસૂલાઈ રહી છે ફી
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની સ્કૂલ દ્વારાવધુ ફી લેવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. શહેરના ક્રિસ્ટલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વધુ ફી લેવામાં આવી રહી છે. 26 હજારની સામે 30 હજાર ફી ઉઘરાવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. સ્કૂલે ચાલુ વર્ષે 32 હજાર રૂપિયા ફી માગ કરી છે. આ મામલે વાલીઓએ DEOને લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ પણ ઉકેલ ન આવતા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા.
સુરતમાં યુરો સ્કૂલની દાદાગીરી
સુરતમાં યુરો સ્કૂલની દાદાગીરી સામે આવી છે. યુરો સ્કૂલે ઓનલાઇન એજ્યુકેશનના નામે ફીની ઉઘરાણી કરી છે. જેને લઇ યૂરો સ્કૂલ ખાતે વાલીઓ એકઠા થયા હતા. યુરો સ્કૂલે ત્રિમાસીક ફીના નામે ફીની ઉઘરાણી કરી છે. સ્કૂલનું કહેવું છે કે અમે વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવ્યા છે. વાલીએ શાળા સંચાલકો પાસે લિવિંગ સર્ટિફિકેટની માગ કરી છે. પરંતુ શાળા સંચાલકો લિવિંગ સર્ટિફિકેટ પણ નથી આપી રહ્યાં. અને શાળા સંચાલકોએ મીડિયા સાથે પણ દાદાગીરી કરી છે. ત્યારે સવાલો ઉઠી રહ્યાં છે કે કોરોનાના સંકટ સમયે પણ યુરો સ્કૂલે કેમ દાદાગીરી કરે છે?. ઓનલાઇન એજ્યુકેશન નામે કેમ ફીની ઉઘરાણી કરાય છે?. વાલીઓને સંચાલકો કેમ વિદ્યાર્થીના લિવિંગ સર્ટિફિકેટ નથી આપી રહ્યાં?. અને શાળા સંચાલકોએ મીડિયા સાથે પણ કેમ દાદાગીરી કરે છે?.
સળગતા સવાલ
કોરોનાના સંકટ સમયે પણ યુરો સ્કૂલ કેમ દાદાગીરી કરે છે?
ઓનલાઇન એજ્યુકેશન નામે કેમ ફીની ઉઘરાણી કરાય છે?
વાલીઓને સંચાલકો કેમ વિદ્યાર્થીના લિવિંગ સર્ટિફિકેટ નથી આપી રહ્યાં?