કોરોનાની મહામારીનોને લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજીના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. હાઇકોર્ટના જજ જે. બી. પારડીવાલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. હોસ્પિટલની વ્યવસ્થા મામલે સુનાવણી દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. દલીલો સાંભળ્યા બાદ જજે સ્થળ નિરીક્ષણ કરવાનો નિર્ણય કર્યો છે.
કોરોના ની મહામારીનોને લઈ HCમાં જાહેરહિતની અરજીનો મામલો
હોસ્પિટલની વ્યવસ્થા મામલે સુનાવણી દરમિયાન લીધો નિર્ણય
ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જે.બી.પારડીવાલા અને ન્યાયાધીશ ઇલેશ વોરાની ડિવિઝન બેંચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ COVID-19ના દર્દીઓની સારવારની ગુણવત્તા અને કામકાજની સ્થિતિ જાણવા માટે આશ્ચર્યજનક મુલાકાત માટે તબીબી સ્ટાફને તૈયાર રહેવા જણાવ્યુ છે.
રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના સંકટના નબળા સંચાલન અને ગેરવહીવટ અંગે બેંચ દ્વારા કરવામાં આવેલી આકરી ટીકા સામે લડવાના પ્રયાસમાં કરાયેલી અરજીની સુનાવણીની માંગ માટે ગુજરાત સરકાર હાઇકોર્ટમાં દોડી આવી હતી. જે બાદ આ ચેતવણી આપવામાં આવી છે.
ઓનલાઇન હાથ ધરાયેલી સુનાવણી માં બન્ને જજો ની ખંડપીઠે જણાવ્યુ હતું કે, “સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ અને ગુજરાતના આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ સિવિલ હોસ્પિટલમાં એક દિવસ અમારી હાજરી માટે પોતાને તૈયાર રાખશે. જેનાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલની કામગીરીને લગતા તમામ વિવાદોનો અંત આવશે.નોંધપાત્ર છે કે કોરોના ની મહામારીનોને લઈને દર્દીઓ અને ડોક્ટરો ને પડી રહેલી હાલાકી સહીત હોસ્પિટલનું પણ નિરીક્ષણ જજ પ્રથમ વાર કરશે.
શું હતુ અરજીમાં
જાહેરહિતની અરજી કરનારે તંત્ર પર આક્ષેપ લગાવ્યો હતો કે, હોસ્પિટલમાં દર્દીઓને જમવાનું યોગ્ય નથી અપાતુ. હોસ્પિટલમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળે છે. ડોક્ટરોને પણ તકલીફોનો સામનો કરવો પડે છે. સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતી હોવાનો દાવો કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, ડોક્ટર્સને પડી રહેલી તકલીફો, લોકોને મળતું હલકી ગુણવત્તાયુક્ત જમવાનું આવા મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.
આ હાલત સુધરવી જોઈએ : હાઈકોર્ટ
આ મામલે હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે અમદાવાદની સિવિલ હોસ્પિટલને લઈને રોજ મીડિયામાં ખરાબ હાલત અને બેદરકારીના સમાચાર આવી રહ્યાં છે ત્યારે આ ચિંતાનજક બાબત છે. આ સ્થિતિમાં જલ્દીથી સુધારો આવવો જોઈએ. હાઈકોર્ટની ટકોર સામે સરકાર વતી એડવોકેટ જનરલે ખાતરી આપી હતી કે આ સ્થિતિને સુધારવા માટે જલ્દીથી પૂરતા પ્રયાસ કરાશે.
મહત્વનું છે કે અગાઉ કોરોના વાયરસના દર્દીઓને સેવાઓ ન મળતી હોવાના ઘણા વીડિયો વાયરલ થયા હતા. જેમાં દર્દીઓએ ખુદ વીડિયો બનાવીને યોગ્ય સુવિધા અને સારવાર ન મળતી હોવાની ફરિયાદો કરી હતી.
કોરોના પોઝિટિવ દર્દીઓ બેડ નહીં મળતા સિવિલ હોસ્પિટલમાં ભટક્યા, વીડિયો બનાવી વ્યક્ત કરી વ્યથા.