કોરોના ટેસ્ટ મામલે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. ખાનગી લેબમાં નાગરિકો કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે, એમડી કક્ષાના ડોકટર્સ ટેસ્ટ માટે ભલામણ કરી શકશે. ખાનગી હોસ્પિટલમાં બેફામ ચાર્જ મુદ્દે સરકાર ગંભીર બનીને કાર્યવાહી હાથ ધરી છે. ડે. સીએમ નીતિન પટેલે કોરોનાને લઇને ખાનગી હોસ્પિટલોને આપી ચેતવણી આપી છે. દર્દીઓ પાસેથી ખોટી રીતે ચાર્જ વસૂલતી હોસ્પિટલો સામે કાર્યવાહી થશે તેવી જાહેરાત કરી હતી. ખાનગી હોસ્પિટલો સરકારે નક્કી કરાયેલા ચાર્જથી વધારે ચાર્જ લેશે તો તેમની ઉપર કાર્યવાહી થશે.
ખાનગી હોસ્પિટલમાં બેફામ ચાર્જ મુદ્દે સરકાર ગંભીર
કોરોના ટેસ્ટ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
મૃત્ય માત્ર કોરોનાથી નથી થઇ રહ્યા છે
અત્યારે હાલમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ છે. દેશ અને દુનિયામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્ય સરકાર લોકોને મદદરૂપ થવા માટે નિર્ણય લીધો છે. અમદાવાદમાં 10 પ્રતિષ્ઠિત ડોક્ટર્સ કાર્યકત છે. ડોક્ટર્સની ટીમ સાથે સરકારે 3 બેઠક કરી છે. કોરોનાના દર્દીઓને વધુ સારી સારવાર માટે ચર્ચા કરાઇ. સરકાર નિષ્ણાંત ડોક્ટર્સના અભિપ્રાય મેળવે છે.
સ્પેશ્યલ કમિટી બનાવી હતી.
ડોકટરોની વિશેષ ટીમના સદસ્ય ડો. તેજસ પટેલ, ડો. પંકજ પટેલ, ડો. આર.કે.પટેલ, ડો. અતુલ પટેલ, ડો. તુષાર પટેલ, ડો. મહર્ષિ દેસાઈ, ડો. દિલીપ માવલંકર, ડો. અમીબેન પરીખ, ડો.વી.એન.શાહ વગેરેની સ્પેશ્યલ ટીમ દ્વારા ટેસ્ટ અંગેના નિર્ણયો લેવામાં આવે છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 11, 2020
કોરોના ટેસ્ટ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
શંકાસ્પદ લોકોને કોરોના ટેસ્ટ માટે જરૂરિયાત ઉભી થઇ છે. ટેસ્ટિંગ વધારવાની રજૂઆત કરાઇ હતી. MD કક્ષાના ડોક્ટર્સ ટેસ્ટ માટે ભલામણ કરે છે. અમદાવાદમાં 1400 MD- સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ કામ કરે છે. લક્ષણોવાળા લોકોને ડોક્ટર્સની ભલામણના આધારે ટેસ્ટ કરવામાં આવશે. MD કક્ષાના ડોક્ટર્સ ટેસ્ટ માટે ભલામણ કરી શકશે. ખાનગી લેબમાં નાગરિકોનો ટેસ્ટ કરાવી શકશે. .
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 11, 2020
ખાનગી હોસ્પિટલ બેફામ ચાર્જ વસૂલી રહી છે. કોરોનાનું બહાનું કરી ખાનગી હોસ્પિટલો બેફામ બની છે. ખાનગી હોસ્પિટલમાં બેફામ ચાર્જ મુદ્દે સરકાર ગંભીર બની. અગાઉ પણ ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપી હતી. ફરી નીતિન પટેલે ખાનગી હોસ્પિટલોને આપી ચેતવણી. દર્દીઓ પાસેથી ખોટી રીતે ચાર્જ વસૂલતી હોસ્પિટલ સામે કાર્યવાહી થશે. હાલ જરૂરિયાતને ધ્યાને રાખી સરકાર ઢીલી નીતિ અપનાવી છે. આગામી સમયમાં હોસ્પિટલના લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી થશે. સરકારે નક્કી કરેલ ચાર્જથી વધારે ચાર્જ લેવાશે તો કાર્યવાહી કરાશે. હોસ્પિટલ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સામે કાર્યવાહી થશે. ઇન્જેકસન દર્દીઓને વિના મુલ્યે અપાઈ છે. જરૂરિયાત વાળા દર્દીઓને ઇન્જેક્શન અપાઈ રહ્યા છે.
મૃત્ય માત્ર કોરોનાથી નથી થઇ રહ્યા છે
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતુ મૃત્ય માત્ર કોરોનાથી નથી થઇ રહ્યા . અન્ય બિમારી હોવાથી લોકોના મૃત્યુ થઇ રહ્યાં છે. બિમાર વ્યક્તિ ઝડપથી કોરોના સંક્રમિત થાય છે. બિમાર વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. કોરોના મુદ્દે સવાલ કરતા નીતિન પટેલ અકળાયા હતા. એકની એક વાત વારંવાર ન કરો તેવો જવાબ આપ્યો હતો. ગુજરાત સરકાર લોકડાઉન લંબાવવા મુદ્દે કોઇ વાત નથી એવું જણાવ્યું હતુ. કોરોનાની સારવાર માટે મફત ઈન્જેક્શન અપાઈ રહ્યા છે જરૂરિયાતવાળા દર્દીઓને પણ ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે.
લોકડાઉન અંગે શું કહ્યુ ડેપ્યુટી સીએમે?
લોકડાઉન અંગે નીતિન પટેલે જણાવ્યું હતુ કે, હાલમાં લોકડાઉનને લંબાવવા કોઇ વિચારણા નથી. જનજીવન રાબેતા મુજબ થાય તે માટે પ્રયાસ ચાલુ છે. તબક્કાવાર છુટછાટ આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં કોઇ છેડછાડ નહી કરાય.
ગુજરાત અંગે રામચંદ્ર ગુહાની ટીપ્પણીની કરી ટીકા
આજે ઈતિહાસવિદ્દ રામચંદ્ર ગુહાએ ગુજરાત માટે ટિપ્પણી મામલે ડેપ્યુટી સીએમએ જણાવ્યું હતુ કે, વિશ્વમાં ગુજરાતીઓનો ડંકો વાગે છે. કોઇ પણ વ્યક્તિ ગુજરાતની સંસ્કૃતિ પર સવાલ ન ઉઠાવી શકે. દેશ અને વિશ્વને ગુજરાતે ઘણુ આપ્યું છે. ભગવાન કૃષ્ણનો નાતો પણ ગુજરાત સાથે જોડાયેલો છે. ગુજરાતની ટીકા કરવી યોગ્ય નથી. માત્ર પોતાની પ્રતિષ્ઠા વધારવા ગુજરાતની ટીકા કરવી યોગ્ય નથી. દેશના તમામ રાજ્યો મહાન છે. ભારત એક દેશ છે, ભારત મહાન સંસ્કૃતિનો દેશ છે.