કોરોના સંકટ સામે અમદાવાદ ઝઝુમી રહ્યું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાએ સારા સમાચાર આપ્યા છે. મધ્યઝોનમાં 9માંથી 7 વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈનમાંથી મુક્તિ આપવામાં આવી છે. પણ કોવિડ સેન્ટર બનાવવાને લઈને લોકોના વિરોધને પગલે કમિશનર સહેજ આકરા પણ થયા હતા.
તમામ લોકોનું સ્ક્રીનિંગ કરીને 7 વિસ્તારને ખોલવામાં આવ્યા
કોરોના સંકટ સામે અમદાવાદ ઝઝુમી રહ્યું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાએ સારા સમાચાર આપ્યા છે. મધ્યઝોનમાં 9માંથી 7 વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈનમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે આ વિસ્તારમાં લોકોનું સ્ક્રીનિંગ કરીને છૂટછાટ આપવામાં આવી છે. પણ નક્કી કરેલા સમયમાં જ બહાર નીકળી શકશે.
નેહરાએ વૃદ્ધોનું ધ્યાન રાખવા પણ અપીલ કરતા કહ્યું કે વૃદ્ધોને સાચવવાની જરૂર છે. જેથી શહેરીજનો પોતાના પરિવારના વૃદ્ધ સભ્યોની ખાસ સાર સંભાળ રાખે. સાથે જ કોરોના કેસ પર હવે કંટ્રોલ મેળવવાની આશા પ્રબળ બની હોવાનું પણ જણાવતા કહ્યું કે કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે. પણ ચેતવાની જરૂર છે. જો લોકડાઉનનું યોગ્ય પાલન કરીશું તો તેને હરાવી શકીશું.
લોકોને સારી સુવિધા જોઈએ છે, પણ ઘરની બાજુમાં નહીં
આ ઉપરાંત નેહરાએ દુખ વ્યક્ત કરતા કહ્યું કે લોકો અમારી કામગીરીમાં અડચણરૂપ બની રહ્યા છે અને વીડિયો વાયરલ કરી રહ્યા છે. જે અયોગ્ય છે. અમે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાના મુડમાં નથી. પણ આવા લોકો પોતાની માનસિકતા સમજે. લોકોને સારી સુવિધા જોઈએ છે. પણ તેમના ઘરની બાજુમાં નથી જોઈતી. આવું વર્તન યોગ્ય નથી.
શિક્ષિત લોકોની માનસિકતા પણ પુરાણી
કેટલાક લોકો વીડિયો વાયરલ કરી રહ્યા છે તેમના વિચારો નકારાત્મક છે. દરેક વ્યક્તિએ પોત પોતાની જવાબદારી સમજવી પડશે. જેમને વીડિયો બનાવવો હોય તે બનાવે.
કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું તેમાં એક વકીલે મારા સામે કેસ કરવા કહ્યું છે. વકીલ શિક્ષીત હોવા છતાં આ રીતનું વર્તન કેમ કરી શકે. વકીલ ફરિયાદ કરી શકે છે પણ અમે અમારું કાર્ય અટકાવશું નહીં.