કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આજથી 25 માર્ચ સુધી ચાર મહાનગરો લૉકડાઉન રાખવાના આદેશ આપ્યા કારણ કે રાજ્યમાં કોરોનાના 18 પોઝિટીવ કેસ નોંધાતા નિર્ણય લેવાયો છે.
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના 4 મહાનગર લોકડાઉન
લોકડાઉન વચ્ચે કેટલીક સેવાઓ ચાલુ રાકવાનો સરકારે લીધો નિર્ણય
નોંધનીય છે કે, લોકડાઉન શહેરોમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાનો સમાવેશ કરવામાં આવ્યો છે જો કે, નગરજનોને કોઇ તકલીફ ન પહોંચે તે માટે કેટલીક સેવાઓ ચાલું રાખવાના આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે.
લોકડાઉન વચ્ચે પણ આ સુવિધાઓ ચાલું રહેશે
દૂધ, શાકભાજી, ફળફળાદીનું વેચાણ કરતી દુકાનો તથા કરિયાણું, પ્રોવિઝનલ સ્ટોર્સ તથા તમામ મેડિકલ સ્ટોર્સ ચાલું રહેશે. તો દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી બેન્ક, એટીએમ, બેન્કના ક્લિયરીંગ હાઉસ, રેલવે, ટ્રાન્સપોર્ટ સેવા, પેટ્રોલ પંપ, મેડિકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી અને આરોગ્યલક્ષી સેવાઓ તથા તમામ મ્યુનિસિપલ કોપાર્પોરેશન, પંચાયત સેવાઓ, વીજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇટી સંબંધિત સેવાઓ, મીડિયા સમાચાર પત્ર, સ્ટોક એક્સચેન્જ સહિત જરૂરી સેવાઓ લોકડાઉન સમયે પણ ચાલું રહેશે.
ગુજરાતમાં નોંધાયા છે 18 કેસ
ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધ્યો છે. અને અત્યાર સુધી 18 કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે સીએમ રૂપાણીએ લોકોને કહ્યું લોકોએ કોરોનાથી ગભરાવાની જરૂર નથી. આપણે સાથે મળીને કોરોના વાયરસને માત આપીશું. સાથે જ કોઇએ સંગ્રાહખોરી ન કરવી. સીએમ રૂપાણીએ કહ્યું કે વેપારીઓએ પણ વધુ ભાવ ન વસૂલવા, સંવેદનાથી સાથે મળી એકબીજાના મદદરૂપ બનીએ.
લૉકડાઉન શું હોય છે?
લૉકડાઉન એટલે કોઈ શહેરમાં તમામ એકમો બંધ કરી દેવા
મહત્વના કામ વિના ઘર બહાર નીકળવા પર હોય છે પ્રતિબંધ
જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે જ ઘર બહાર જઈ શકાય
અનાજ, ઔષધિ, હોસ્પિટલ, બેંક જેવા કાર્યો માટે જ બહાર નીકળી શકાય
સ્કૂલ, કોલેજ, જીમ, સ્વિમિંગ પુલ, થિયેટર, મોલ કરવામાં આવે છે બંધ
જાહેર સ્થળો, ગાર્ડન, મંદિર, પર્યટક સ્થળો કરવામાં આવે છે બંધ