ગુજરાતમાં કોરોના સંકટમાં સૌથી વધુ જો કોઈ સપડાયુ હોય તો તે અમદાવાદ છે. અમદાવાદમાં હાલ 6645 લોકો કોરોનાનો શિકાર બની ચુક્યા છે અને 446 લોકોના મોત થઈ ચુક્યા છે પરંતુ છેલ્લા 51 દિવસથી જે લોકડાઉન ચાલી રહ્યુ છે તેમાં છુટછાટ આપવી જરૂરી છે એટલે આવતી કાલથી દૂધ, શાક, કરિયાણા સહિતની જીવનજરૂરિયાની ચીજવસ્તુઓની દુકાનો ખુલવાની છે ત્યારે કયા વિસ્તારમાં કયા સમયે કઈ દુકાન ખુલ્લી હશે તે જાણવું જરૂરી છે.
અમદાવાદમાં આવતીકાલથી સામાન્ય છૂટછાટ લાગૂ થશે
શાકભાજી, ફ્રૂટ, કરિયાણા અને દવાની દુકાનો ચાલુ થશે
17 હજાર વેપારીઓનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યુ
અમદાવાદમાં આવતીકાલથી સામાન્ય છૂટછાટ આપવામાં આવશે. આવતીકાલથી શહેરમાં શાકભાજી, ફ્રૂટ અને કરિયાણાની દુકાનો ખોલી શકાશે. આ માટે અત્યાર સુધીમાં કુલ 17 હજાર વેપારીઓનું સ્ક્રિનિંગ કરાયું છે. અને વેપારીઓને હેલ્થકાર્ડ પણ અપાયા છે.
શાકભાજીના હોલસેલ માર્કેટ ખુલશે
અમદાવાદમાં ધીમે ધીમે લોકડાઉનની સ્થિતિ હળવી કરવા અંગે પ્રયાસ થઈ રહ્યા છે જેમાં 15મેથી 5 જગ્યાએ શહેરમાં હોલસેલ શાકમાર્કેટ શરૂ થશે.. શહેરના રિવરફ્રન્ટ ગુજરીબજાર, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ, AEC ગ્રાઉન્ડ, જેતલપુર અને વાસણા ખાતે એપીએમસી શરૂ કરાશે. ખેડૂતો મોડી રાતના 3 થી સવારે 7 વાગ્યા સુધી શાકભાજી વેચી શકશે જયારે સવારે 7 થી 10 સુધી લારીવાળાઓને શાકભાજી વેચી શકાશે. જો કે આ શાકભાજી છૂટક ગ્રાહકોને વેચી શકાશે નહીં
કન્ટેનમેન્ટ ઝોનમાં સવાર 8થી બપોરના 1 સુધી છુટ
અદાવાદના કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ફરી શાકભાજીની લારીઓ અને કરિયાણાની દુકાનો ખુલશે. અમદાવાદ મહાનગરપાલિકાએ 15 મેથી કન્ટેઈનમેન્ટ ઝોનમાં શાકભાજી અને કરિયાણાની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. 15 મેથી સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે. તો શાકભાજી વેચતા ફેરિયાઓ પણ હેલ્થકાર્ડ મેળવી શાકભાજીનું વેચારણ કરી શકશે. અમદાવાદના 10 વોર્ડમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. દાણીલીમડા, જમાલપુર, કાલુપુર, શાહપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, મણિનગર, સરસપુર, અસારવાનો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે.
AMCના આ નિયમ જાણી લો
અમદાવાદમાં 15 મે બાદ પણ રાબેતા મુજબ લોકડાઉનનો અમલ
મેડિકલ અને દૂધ સિવાયની જરૂરી સામગ્રીનું વેચાણ થશે શરૂ