ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાગ્રસ્ત માતાઓથી નવજાત બાળકોમાં કોરોનાનું સંક્રમણ પ્રસરી ગયુ છે. અમદાવાદમાં 172 કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓએ 44 બાળકોનો કોરોનાનું સંક્રમણ આપ્યુ છે. ગુજરાતમાં 4 લોકડાઉન છતાં આટલી મોટી સંખ્યામાં નવજાત બાળકો કોરોના પોઝિટિવ આવતા સરકારી કામ ઉપર સવાલો ઉઠી રહ્યા છે.
172માંથી 44 મહિલાઓના બાળકોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ
અમદાવાદમાં કોરોનાના દર્દીઓનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે.. ત્યારે હવે નવજાત બાળકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદની સિવિલ, SVP, સોલા, શારદાબેન અને LG હોસ્પિટલમાં 172 કોરોનાગ્રસ્ત મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો. 172 કોરોનાગ્રસ્ત મહિલાઓમાંથી 44 બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
વધુમાં વધુ મહિલાઓ 20થી 30 વર્ષની ઉમરની છે. જેમાં કોઈ પણ બિમારી જોવા મળી નથી. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કહેર દરમિયાન 2 મહિનામાં 90 મહિલાઓની ડિલીવરી થઈ છે. જેમાંથી 30 ટકાથી ઓછા કેસમાં બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
SVP હોસ્પિટલમાં કોરોનાના કહેર વચ્ચે 70 જેટલી મહિલાઓની ડિલીવરી થઈ. જેમાંથી 15 ટકા જેટલી મહિલાઓના બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ તમામ મહિલાઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કહેર વચ્ચે 12 મહિલાઓની ડિલીવરી થઈ. આ હોસ્પિટલમાં એક પણ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.