ગુજરાતમાં કોરોનાના દર્દી વધી રહ્યા છે પણ સાજા પણ થઈ રહ્યા છે આવા જ 60 વર્ષથી વધુ વય ધરાવતા અમદાવાદના વૃધ્ધ દંપતીએ કોરોનાને મહાત આપીને જંગ જીત્યો છે. કોરોના પીડિત વૃધ્ધ સાજા થયા હોય તેવી આ ગુજરાતની પહેલી ઘટના બની છે. આ દંપતીનું કહેવું છે કે, ઝેરના પારખાં ન કરો ઘરમાં રહો અને સુરક્ષિત રહો.
કેવી રીતે દંપત્તી આવ્યુ કોરોનાના પોઝિટિવ
ડોક્ટરોએ આપી હિંમત
લોકોને એટલુ જ કહેવા માંગે છે કે, ઝેરના પારખાં ન હોય, ઘરમાં રહો
અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં રહેતાં 67 વર્ષિય ફિદાહુસેન સૈયદ અને તેમના 62 વર્ષિય પત્નિ શમશાદબેગમ ફેબ્રુઆરીમાં સાઉદી અરેબિયામાં ઉમરાહ કરવા ગયા હતાં. આ વૃધ્ધ દંપતિ 13મી માર્ચે અમદાવાદ પર પરત ફર્યા હતાં. ફિદાહુસેને કહ્યું કે, 20મી માર્ચે મને થોડોક તાવ આવ્યોને,હાથ પગ દુખવા માંડયા હતાં. કઇક આવી જ તકલીફ મારી પત્નિ શમશાદને ય થઇ હતી.
ઘરમાં રહો ઝેરના પારખાં ન કરો
કોરોના સામે જીત મેળવનારા ફિદાહુસેન સૈયદ કહે છે કે, જયારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે મે જોયુ કે, ડૉક્ટરો સતત દોડાદાડ કરી રહ્યાં હતાં. મને ય વારંવાર પૂછતાં કે, તમને કેવુ છે, કઇંક તકલીફ હોય તો કહેજો. હું સતત મનમાં વિચાર કરતો હતોકે,આપણે લોકડાઉનમાં ઘરમાં રહેવાય તૈયાર નથી ત્યારે જીવના જોખમે આ ડૉક્ટરો આપણને બચાવવા કેટલી મહેનત કરી રહ્યાં છે. ખરેખર તો આ ડૉક્ટરો પ્રશંસાને કાબેલ છે.આ જોઇને મને એટલી હિમત અને હુંફ મળી કે, હું સાજો થઇ ગયો.
જ્યારે બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા ત્યારે અમે ડરી ગયા હતા
અમે પળભરનો વિચાર કર્યા સિવાય સીધા જ SVP હોસ્પિટલ પહોંચ્યા હતાં. જયાં તમામ રિપોર્ટના અંતે ડૉક્ટરોએ કહ્યું કે, તમને બંનેને કોરોના પોઝીટીવ થયો છે ત્યારે એક તબક્કે અમે રીતસર ડરી ગયા હતાં કે, હવે શું થશે. ત્યારબાદ અમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. શમશાદ બેગમ ડાયાબિટીસ ઉપરાંત શ્વાસની બિમારી હોવાથી ફિદાહુસેનને સતત ચિંતા થયા કરતી હતી કે, શું કોરોનાથી બચી શકાશે ખરૂ . સતત આવા વિચારો મનમાં ઘુમરાયા કરતાં હતાં.
જો ડોક્ટર ડર્યા વિના સારવાર કરે તો આપણને કોનો ડર!
ફિદાહુસેન સૈયદ કહે છે કે, પથારીમાં પડયાં પડયાં હું સતત અલ્લાહથી દુઆ કરી રહ્યો હતો કે, આ આફતથી બધાને ઉગારી લે. ખાસ કરીને જયારે ડૉક્ટરોને જોઇને મને ખુબ જ હિંમત મળી. તેમની હુંફે મને દવાની ગરજ પુરી પાડી હતી કે, જયારે લોકો કોરોના ડરથી ઘરમાં પૂરાયેલાં છે ત્યારે ડૉક્ટરો જીવના જોખમે હોસ્પિટલોમાં ખડેપગે સારવાર આપી રહ્યાં છે. બસ આ જ વાતે મને અને મારી પત્નિને સ્વસ્થ કરી દીધા હતા.
ડોક્ટરનો દંપત્તિએ દિલથી માન્યો આભાર
વૃધ્ધ દંપતિનું કહેવુ છે કે, કોરોનાથી ગભરાવવાની જરૂર નથી બલ્કે માત્ર સતર્ક અને સચેત રહેવાની જરૂર છે. મને મોતનો જરાય ડર ન હતો પણ એનો અર્થ એવો નહીં કે, બેદરકારી દાખવવી. તમારા થકી બીજાને ચેપ લાગે એ ક્યાંનો ન્યાય. જો કોરોના પર વિજય મેળવવો હશે તો આપણે સ્વયં શિસ્ત અપનાવવી પડશે. સરકાર- આરોગ્ય વિભાગના નિયમોનો કડક અમલ કરવો પડશે. કોરોના સામે જંગ જીતનારા વૃધ્ધ દંપતિ ડૉક્ટરોનો પાડ માની રહ્યાં છે.