ગુજરાતમાં ધીરે ધીરે ગાંધીનગરમાં કોરોનાએ પગ પેસારો કરી રહ્યો છે. સર્કિટ હાઉસમાં 14 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે એક સરકારી અધિકારીનું મોત થયુ છે.
શિક્ષણ સંકુલો, સરકારી ઓફિસોમાં કોરોનાનો કહેર
ગાંધીનગરમાં કોરોનાનો પગપેસારો
સેક્સન અધિકારીનું કોરોનાથી મોત
ગાંધીનગરમાં સેક્શન અધિકારીનું કોરોનાથી મૃત્યુ થયુ છે. સામન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવતા સેક્શન અધિકારીનું કોરોનામાં મોત થતાં સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કિરીટ સાયમન સક્સેનાનું કોરોનાથી અવસાન થયુ છે. અધિકારીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ
ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. મેનેજર સહિત 14 કર્મચારીને કોરોના પોઝિટિવ નોંધાયા છે. સરકારી કચેરીઓમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.
કોરોનાને કારણે ગાંધીનગરમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ વાયબ્રન્ટ સમિટ યોજાશે. ઓક્ટોબર મહિનામાં વાયબ્રન્ટ સમિટ યોજાઇ શકે છે. PM મોદીએ 2003માં ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટ શરૂ કરી હતી. દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવા વાયબ્રન્ટ સમિટ યોજાય છે.
અમદાવાદ GTU માં કોરોના બ્લાસ્ટ
અમદાવાદ GTU માં કોરોના બ્લાસ્ટ થયો છે. GTU ના વી.સી. ડૉ.નવીન શેઠ બાદ વધુ અધિકારીઓ પોઝિટિવ આવ્યા છે. રજીસ્ટાર કે.એન.ખેર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. રજીસ્ટાર સહિત અન્ય 10 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. GTUમાં કોરોનાનો પગ પેસારો થતાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
IIM અમદાવાદમા વધતો કોરોનાનો કહેર
IIM અમદાવાદમા કોરોનાનો કહેર વધી રહ્યો છે. IIM માં 9 વિદ્યાર્થીઓ સહિત વધુ 10 કોરોનાના કેસ નોધાતા કોરોના પોઝિટિવની સંખ્યા 63 થઈ ગઈ છે. અહીં વિદ્યાર્થીઓ મેચ જોવા ગયા હતા અને કોરોના પોઝિટિવ આવ્યા હતા તેવો પણ ગણગણાટ છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2252 કેસ નોંધાયા છે અને 1731 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,86,577 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 8 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4500 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.રોજ આ આંકડો વધી રહ્યો છે.તેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે.
છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે થઇ રહ્યો છે વધારો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. 27 માર્ચના રોજ રાજ્યમાં 2276 કેસ, 28 માર્ચે 2270 કેસ અને આજે 29 માર્ચે 2252 નવા કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 602 કેસ અને ગ્રામ્યમાં 10 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 603 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 74 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 201 કેસ, જ્યારે ગ્રામ્યમાં 35 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 198 કેસ અને ગ્રામ્યમાં 44 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
સુરતમાં કલમ 144 લાગુ
સુરત શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્વ કર્યું છે. તેમજ સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું 13 એપ્રિલ સુધી લાગુ રહેશે.
સુરતમાં 4થી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોનાની મહામારીને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્વ કર્યું છે. તેમજ સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું 13 એપ્રિલ સુધી લાગુ રહેશે.
સુરતીઓ દ્વારા નિયમનું કરાયું પાલન
મહત્વનું છે કે, કોરોના સંક્રમણ રોકવા માટે સૂરતીઓએ તંત્રને સાથ આપ્યો હતો. તંત્ર દ્વારા કરાયેલી સૂચનાનું સુરતીઓ દ્વારા પાલન કરાયું હતું. સુરતમાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. સુરત મનપા કમિશનરે લોકોને ધુળેટી ન રમવા અપીલ કરી હતી. સુરતમાં રોડ રસ્તા અને શેરીઓ સુમસામ જોવા મળી હતી.