ગુજરાતમાં ગઈકાલે જ કોરોનાના 510 કેસ સામે આવ્યા છે તેમ છતાં સરકાર સહિત તંત્ર દ્વારા આ મામલે બેદરકારી કેમ થઈ રહી છે તેવો પ્રશ્ન સામાન્ય માણસને થાય. શારદાબેન હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. એટલું જ નહી હોસ્પિટલના RMOની દાદાગીરી અને મનમરજી પણ છતી થઈ છે. સામાન્ય તાવના દર્દીને કોરોનાના દર્દી સાથે રાખવામાં આવ્યો હતો બાદમાં ભૂલ પકડાતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા દિલગીરીની જગ્યાએ દાટી આપવાની ઘટના સામે આવી છે.
શારદાબેન પહોચતા આ જ દર્દીનો રિપોર્ટ નેગેટીવ હોવાનુ જણાવાયુ
પોતાની ભુલ છતી થતા RMO એ દર્દીના સગાને ધમકાવ્યા
મ્યુ કમિશ્નરને કે પોલિસ કમિ. ને બોલાવો કોઇ ફરક નહી પડે
અમદાવાદમાં શારદાબેન હોસ્પિટલના તબિબોની ઘોર બેદરકારી સામે આવી છે. સામાન્ય તાવના દર્દીને કોરોના દર્દીઓ સાથે રખાયો હતો. સામાન્ય દર્દીને પોઝિટિવ દર્દી સાથે 4 કલાક રાખવામાં આવ્યો હતો.
એમ્બ્યુલન્સમાં પણ સાથે મોકલાયા
એમ્બ્યુલન્સમાં પણ પોઝિટીવ દર્દી સાથે નેગેટિવ દર્દિને મોકલી દેવામાં આવ્યો હતો. તપન હોસ્પિટલે દર્દીને દાખલ ન કરતા શારદાબેન પરત મોકલ્યા હતા. શારદાબેન પહોચતા આ જ દર્દીનો રિપોર્ટ નેગેટીવ હોવાનુ જણાવાયુ હતુ.
શારદાબેન હોસ્પિટલના RMOની દાદાગીરી
પોતાની ભુલ છતી થતા RMO એ દર્દીના સગાને ધમકાવ્યા હતા એટલું જ નહીં પણ મ્યુ કમિશ્નરને કે પોલિસ કમિ. ને બોલાવો કોઇ ફરક નહી પડે તેમ કહીને હડકાવી કાઢ્યા હતા. વળી ચીમકી પણ આપી હતી કે, તમારે કેસ બગાડવો છે કે સારવાર લેવી છે?
પોઝિટિવ દર્દીના લિસ્ટમાં નામ નથી છતાં પોઝિટિવ દર્દી સાથે કેમ રખાયો?
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોનાના આજે 510 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 19,119 થયો છે. આજે 344 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 4,918 છે. રાજ્યમાં કુલ 13,011 દર્દી સારવાર લઇને ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં દર્દીનો મૃત્યુઆંક વધીને 1,190 થયો છે. અમદાવાદમાં આજે 340 પોઝિટિવ કેસ નોંધાયા છે.