ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના કારણે રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકડાઉનનો કડક અમલ કરાવવામા માટે પોલીસ સતત કાર્યવાહી કરી છે. જો કે કડક અમલવારી કરાવતાં રાજ્યભરમાં 25 પોલીસકર્મીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં 23 પોલીસ જવાનો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
રાજ્યમાં 25 પોલીસ જવાનો કોરોનાગ્રસ્ત
અમદાવાદમાં 23 પોલીસજવાનો કોરોનાગ્રસ્ત
વડોદરામાં 1, રેલવેના 1 પોલીસજવાનો કોરોનાગ્રસ્ત થયા
રાજ્યમાં કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉનનો કડક અમલ કરાવાને લઇને ખડેપગે ઉભી રહેલી પોલીસજવાનોમાં કોરોના ચેપ લાગતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે આ અગાઉ રાજ્યમાં કોરોનાને લઇને સારવાર કરી રહેલા કેટલાંક ડૉકટર તેમજ મેડીકલ સ્ટાફનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજ્યમાં લોકડાઉન વચ્ચે ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓમાં કોરોના પોઝિટિવ દેખાતાં આ એક ચિંતાનો વિષય છે. રાજ્યમાં અમદાવાદમાં 23, વડોદરામાં 1, રેલવેના 1 પોલીસજવાનો કોરોનાગ્રસ્ત જોવા મળ્યાં. આમ પોલીજવાનોમાં કોરોના વાયરસ દેખતાં તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે.
ત્યારે બીજી તરફ પોલીસજવાનોની ઇમ્યુનિટી વધારવા ઔષધિઓ અપાઇ રહી છે. કોરોનાગ્રસ્ત પોલીસ કર્મીઓ માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર, પોલીસ વિભાગ દ્વારા કાળજી લેવાઇ રહી છે.