ચીનથી શરુ થયેલો આ વાયરસ વિશ્વના 206 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. કોરોનાને લીધે અત્યારે વિશ્વના 1,273,792 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે 69,459 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 262,486 લોકો સાજા થઈ ચુક્યા છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. મૃત્યુદર બીજા દેશોની સરખાણીએ ઘણો ઓછો છે એ ભારત માટે સારી બાબત છે.
ભારતમાં દર 100 દર્દીમાં 2.75 લોકોનું મોત
અમેરિકામં 100 કોરોના દર્દીએ 2.6 લોકોનું મોત
સ્પેન - ઈટલીમાં પુરુષોના વધારે મોત નિપજ્યા
ભારતમાં દર 100 દર્દીમાં 2.75 લોકોનું મોત
ભારતમાં દર 100 દર્દીમાં 2.75 લોકોનું મોત થઈ રહ્યું છે. ભારતની સરખામણીએ અમેરિકામં 100 કોરોના દર્દીએ 2.6 લોકોનું મોત નિપજી રહ્યુ છે. અમેરિકાના બાલ્ટીમોર સ્થિત જોન્સ હોપ્કિન્સ યૂનિવર્સિટીના જણાવ્યાનુંસાર યુરોપીય દેશોમાં ઈટલીનો મૃત્યુદર વિશ્વમાં સૌથી વધારે છે. અહીં 12.3 ટકા લોકોના મોત કરોનાને લીધે છે.
પુરુષોને વધારે ખતરો છે
મહિલાઓની સરખામણીમાં પુરુષોને કોરોનાનો ખતરો વધારે છે. ઈટલીમાં કુલ મોતનૈ 71 ટકા પુરુષો અને 29 ટકા મહિલાઓનો સમાવેશ થયો છે. સ્પેનમાં 65 ટકા પુરુષો અને 35 ટકા મહિલાઓના મોત નિપજ્યા છે.
ચીનમાં 100એ 4ના મોત
ફ્રાન્સ, નેધરલેન્ડ અને સ્પેન જેવા બીજા અન્ય યૂરોપીય દેશોમાં મૃત્યુદર વધારે છે. ફ્રાન્સમાં 100 કોરોનાગ્રસ્ત દર્દીઓમાં 10, નેધરલેન્ડમાં 9.4 અને સ્પેનમાં 9.4 લોકોના મોત નિપજી રહ્યા છે. યુરોપીય સંઘના અલગ થયેલા બ્રિટનમાં 100 દર્દીઓમાંથી 9.3 લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે બેલ્ઝિયમમાં 6.8 અને ઈરાનમાં 6.2 ટકા કોરોનાના દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. ચીનમાં 100માંથી 4ના મોત નિપજી રહ્યા છે.