કોરોના વાયરસના સંક્રમણના કારણે બેરોજગાર થયેલા લોકો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ રાહત વધવાના નિર્ણયને નોટિફિકેટ કરી દીધી છે. સરકારે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે સમય મર્યાદાને વધારીને 30 જૂન 2021 કરી દીધી છે. જેમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)માં રજિસ્ટર્ડ કામગારોને 50 ટકા અનએમ્પલોયમેન્ટ બેનિફિટ મળશે. સરકારના આ નિર્ણયથી 40 લાખથી વધારે કામગારોને ફાયદો થશે.
રજિસ્ટર્ડ કામગારોને 50 ટકા અનએમ્પલોયમેન્ટ બેનિફિટ મળશે
અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ રોજગાર ગુમાવનારા કર્મચારીઓને સરકાર તરફથી આર્થિક મદદ મળશે. આ એક પ્રકારનું બેરોજગારી ભથ્થુ હોય છે. જેનો લાભ તે કર્મચારીઓને મળે છે જે ઈએસઆઈ સ્કીમ હેઠળ કવર થાય છે અથવા તેમના માસિક વેતનમાંથી ઈએસઆઈ કપાય છે.
સરકારના નિયમો મુજબ કોરોનામાં નોકરી ગુમાવી ચૂકેલા ઔદ્યોગિક કામગારોને 3મહિના સુધી 50 ટકા સેલરી અનએમ્પલોયમેન્ટ બેનિફિટ તરીકે આપવામાં આવશે. આનો ફાયદો એ લોકોને મળશે તેમની નોકરી 24 માર્ચથી 31 ડિસેમ્બરની વચ્ચે જતી રહી છે. આ પહેલા સ્કીમમાં 31 ડિસેમ્બર 2020 સુધી વધારવામાં આવી હતી. જો કે હવે તેનો ફાયદો જૂન 2021 સુધી કરી શકાય એમ છે. 23 માર્ચ 2020ના રોજ અથવા એ પહેલા 1 જાન્યુઆરી 2021ના રોજ અથવા તેના પછી બેરોજગાર થયા છે. તેવા બીમિત વ્યક્તિઓને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાને હકિકતમાં યોગ્યતાની શરતો લાગુ પડશે.
ભલે કોઈ વ્યક્તિ ESICથી બીમિત હોય પણ ખોટા વ્યવહારના કારણે કાઢી મુકવામાં આવ્યા હોય, વ્યક્તિ પર કોઈ કેસ ચાલું હોય અથવા વ્યક્તિએ નિવૃતિ પહેલા જ નિવૃતિ લઈ લીધી હોય તો તેમને આનો લાભ નહીં મળે.
બીમિત વ્યક્તિએ નોકરી જતા પહેલા ઓછામાંઓછા 2 વર્ષ નોકરી કરી હોય અથવા નોટિફિકેટ સમયમાં ઓછામાં ઓછા 78 દિવસ કામ કર્યું હોય. પીડિત વ્યક્તિ ક્લેમ નોકરી જવાના 30 દિવસની અંદર કરવાનું રહેશે. આના માટે ક્લેમ ફોર્મને સીધા ESIC બ્રાન્ચની ઓફિસને ઓનલાઈન સબમિટ કરાવવાનું રહેશે. આ સાથે ESICની વેબસાઈટ પર જઈ અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ફોમ મળવાના 15 દિવસની અંદર ક્લેમના પૈસા બીમિત વ્યક્તિના બેંક ખાતામાં આવશે. વ્યક્તિની ઓળખ માટે આધારનો ઉપયોગ કરવામાં આવશે.