દેશમાં કોરોના સંક્રમણનો આંક સતત વધી રહ્યો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 44,643 નવા કેસ નોંધાયા છે તો 464ના મોત થયા છે.
દેશમાં ફરી એકવાર વધ્યું કોરોના સંક્રમણ
24 કલાકમાં 44,643 નવા કેસ નોંધાયા
24 કલાકમાં 464ના મોત થયા
Mofhwના અનુસાર દેશમાં હાલમાં 4,14,159 એક્ટિવ કેસ છે તો 3,10,15, 844 લોકો સારવાર બાદ સાજા થયા છે. મંત્રાલયના અનુસાર છેલ્લા 24 કલાકમાં 3083 એક્ટિવ કેસ વધ્યા છે. દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ચિંતા વધારી રહ્યું છે. ત્રીજી લહેરની આશંકા સાથે જ દેશમાં કોરોનાના નવા કેસ અને મોતનો આંક પણ વધી રહ્યો છે. Mofhwના અનુસાર દેશમાં હાલમાં 4,14,159 એક્ટિવ કેસ છે તો 3,10,15, 844 લોકો સારવાર બાદ સાજા થયા છે. મંત્રાલયના અનુસાર છેલ્લા 24 કલાકમાં 3083 એક્ટિવ કેસ વધ્યા છે. દેશમાં વેક્સિનેશનની વાત કરીએ તો તેમાં 49,53,27,595 લોકોને વેક્સિન અપાઈ છે તો 57,97,80 લોકોને ગુરુવારે વેક્સિન અપાઈ છે.
India reports 44,643 new #COVID19 cases, 41,096 recoveries and 464 deaths in the last 24 hours, as per the Union Health Ministry
Active cases: 4,14,159
Total recoveries: 3,10,15,844
દેશમાં કુલ 49 કરોડથી વધુ લોકોને અપાઈ છે વેક્સિન
ભારતમાં ગુરુવાર સુધીમાં વેક્સિનના 49 કરોડથી વધુ ડોઝ અપાયા છે. મળતી માહિતી અનુસાર કુલ 50.29 લાખથી વધારે ડોઝ અપાયા છે. મંત્રાલયના અનુસાર 24 કલાકમાં 18-44 વર્ષના 27,26,494 લોકોને પહેલો ડોઝ અને 4,81,823 લોકોને બીજો ડોઝ અપાયો છે. વેક્સિનેશનના ત્રીજા તબક્કાની વાત કરીએ તો કુલ મળીને 18-44 વર્ષના 16,92,68,754 લોકોને પહેલો ડોઝ અને 1,07,72,537 લોકોને બીજો ડોઝ અપાયો છે. દેશમાં 5 રાજ્યોમાં મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને યૂપીમાં 18-44 વર્ષના 1 કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઈ છે.
કેરળમાં સૌથી વધારે સંક્રમણ
દ. કેરળમાં 24 કલાકમાં 22040 નવા કેસ આવ્યા છે. 117 દર્દીના મોત થયા છે. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 1,71, 608 થઈ છે.
ગુજરાતમાં છે 24 કલાકમાં 24 નવા કેસ
ગુજરાતમાં ગુરુવારે 24 નવા કેસ આવ્યા છે. આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 8,24,978 થઈ છે. 24 કલાકમાં 31 દર્દી સંક્રમણમુક્ત થયા છે અને કોઈ મોતના કેસ જોવા મળ્યા નથી. રાજ્યમાં કુલ 10,076 લોકોના મોત થયા છે. ગુજરાતમાં 8,14,696 દર્દી સંક્રમણમુક્ત થયા છે.
રાજસ્થાનમાં 40 નવા કેસ
અહીં છેલ્લા 24 કલાકમાં 40 નવા કેસ નોંધાયા છે જેમાં જયપરના 12, પાલીના 5, અલવર અને નાગપુરમાં 4-4 કેસ, ઉદયપુરમાં 5 કેસછે.
મધ્યપ્રદેશમાં 11 નવા કેસ
મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના સંક્રમણના 11 નવા કેસ નોંધાયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 7,91,919 પહોંચી છે. 24 કલાકમાં એક પણ મોતના સમાચાર આવ્યા નથી. કુલ મૃત્યુઆંક 10,514 છે.