કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈ નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પોલે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો આવ્યો છે તે આપણા માટે ખતરનાક સંકેત આપી રહ્યા છે.
દેશની સમગ્ર જનતાને સતર્ક રહેવાનો આદેશ
100-125 દિવસ દેશવાસીઓ માટે એકદમ મહત્વના
નીતિ આયોગના સભ્યો ડૉક્ટર વી કે પોલે કરી આગાહી
દેશની સમગ્ર જનતાને સતર્ક રહેવાનો આદેશ
કેન્દ્રમાં કોરોના વાયરસ મહામારી પર ફરીથી દેશની સમગ્ર જનતાને સતર્ક રહેવાનું કહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે આવનાર 100-125 દિવસ દેશવાસીઓ માટે એકદમ મહત્વના છે. તમને જણાવી દઈએ કે PM મોદીએ પણ લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. કેન્દ્રએ કહ્યું કે દેશમાં કોરોનાના કેસો ભલે ઘટયા હોય પણ ત્રીજી લહેરને લઈને મળી રહી ચેતવણીને ધ્યાનમાં રાખવાની જરૂર છે.
100-125 દિવસ દેશવાસીઓ માટે એકદમ મહત્વના
નીતિ આયોગના સભ્યો ડૉક્ટર વી કે પોલે કહ્યું "કોરોનાની ત્રીજી લહેરની વાત એટલા માટે થઈ રહી છે કારણકે આપણે હર્ડ ઇમ્યુનિટી પર પહોંચ્યા નથી. ભારતમાં હજી પણ સંક્રમણનો ખતરો ગયો નથી. અમે સંક્રમણથી હર્ડ ઇમ્યુનિટી સુધી પહોંચવા માંગીએ છીએ. આ માટે આપણે બધા જ લોકોએ સતર્ક રહેવું જોઈએ અને દરેક લોકોએ આ જવાબદારી સમજવી પડશે, સાથે જ તેનું પાલન પણ કરવું પડશે.
નીતિ આયોગના સભ્યો ડૉક્ટર વી કે પોલે કરી આગાહી
AIIMS ના નિર્દેશક ડૉક્ટર રણદીપ ગુલેરીયાએ ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈ લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપી છે. તેમણે કહ્યું કે જો બધા જ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા તો હવે પછીની ત્રીજી લહેર બીજી લહેર કરતાં પણ વધુ ભયાનક હશે. તેમણે કહ્યું કે લોકોમાં ઇમ્યુનિટી ઓછી હોવી અને લોકડાઉન પરથી પ્રતિબંધ હટાવી લેવોએ ત્રીજી લહેરનું કારણ બની શકે.