કોરોના વાયરસને કારણે હાલ દુનિયાભરમાં ભયનો માહોલ ફેલાયેલો છે. અને અત્યાર સુધી ચીનમાં 80000 થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 3000થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે હવે કોરોનાની ભારતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે અને અત્યાર સુધી 28 કેસ નોંધાયા છે.
કોરોના વાયરસ વ્યક્તિના વાળથી 900 ગણો બારીક છે. આ માટે તે બહુ જ જલ્દીથી વ્યક્તિને પોતાનો શિકાર બનાવી શકે છે. ભારતમાં કોરોના વાયરસના પીડિતની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે. કોરોના વાયરસના 12 નવા કેસ સામે આવ્યા છે. આ બધા વ્યક્તિ ઇટલીથી થઈને ભારત પરત ફર્યા છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે કોરોના વાયરસ કેમ ફેલાય છે?
શું રોગી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાયરસ ફેલાય છે
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે પીડિત વ્યક્તિના પાસેથી પસાર થવાથી કોરોના વાયરસ ફેલાય કે નહિ તે 4 કારણો પર નિર્ભર કરે છે.
પહેલા તમે પીડિત વ્યક્તિની નજીક તમે જાવ છો તો, બીજું પીડિત વ્યક્તિને ખાંસી આવે કે છીંક આવે તો તેમના છાંટા તમારા પડે છે. ત્રીજું તમે તમારા મોં પર હાથ ફેરવો છો અને ચોથું કે તમે કેટલાં સ્વસ્થ છો અને તમારી ઉંમર કેટલી છે.
પીડિત વ્યક્તિથી કેટલી દુરી હોવી જોઈએ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક પ્રવક્તા ક્રિશ્ચિયન લિંડમિયેરનું કહેવું છે કે કોરોના વાયરસ પીડિત વ્યક્તિથી ઓછામાં ઓછુ ત્રણ ફૂટ દુર રહેવું જોઈએ.
જો કે 'ધ સેંટર ફોર ડીસીજ કંટ્રોલ એન્ડ પ્રીવેશન' તરફથી કહેવામાં આવ્યું છે કે પીડિત વ્યક્તિથી છ ફૂટ દુર રહેવું જોઈએ.
કેટલી વખત સંપર્કમાં આવવાથી ફેલાય છે કોરોના વાયરસ
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે હાલ સુધી પીડિત વ્યક્તિના કેટલી વખત સંપર્કમાં આવવાથી કોરોના વાયરસ થઈ શકે છે. તેમના હજુ સુધી કોઈ સોર્સ મળ્યાં નથી. તેમનું કહેવું છે કે જેટલાં પીડિતની નજીક જશો એટલુ જોખમ વધશે.
શું આ રોગ માટે વિશેષ સાબુ કે સૈનિટાઈઝર બન્યું છે?
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પ્રકારનો એવો સાબુ કે સૈનિટાઈઝર શોધાયો નથી.
શું તમારી પાસે અથવા પાડોશમાં રહેતા લોકોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ?
આ વાતની અત્યાર સુધી કોઈ પૃષ્ટિ થઈ નથી. પરંતુ દીવાલો અને કાચથી કોરોના વાયરસ ફેલાઈ શકે છે. અને તેમનાથી જોખમ વધી શકે છે.
શું સેક્સ કરવાથી કોરોના વાયરસ ફેલાઈ શકે છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે કોરોના વાઈરસ સેકસ્યુઅલ ટ્રાન્સમિટેડ ડીસીજ નથી. અને હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે પીડિત વ્યક્તિના કિસ કરવાથી નિશ્ચિત રીતે ફેલાઈ શકે.