ભાવનગરની નચિકેતા રાવલ વન અધિકારી શંકરલાલ રાવલનાં દીકરી છે. આકાશમાં ઉડાન ભરવાનું અને સૌ કોઈને હવામાં ઉડાડવાનું કાર્ય તેમનું રોજિંદું જીવન છે, કારણ કે નચિકેતા મુસાફર વિમાનોના ચાલક છે. તેણે પોતાના લગ્નમાં આવેલ મહેમાનોને એવી અનોખી ભેટ આપી કે સૌ કોઇ બોલી ઉઠ્યા વાહ...
ભાવનગરની દીકરીની અનોખી મિશાલ
લગ્ન સમારંભમાં આવેલા મહેમાનોને આપ્યા અરડૂસીના છોડ
કચ્છ -માંડવીના રિસોર્ટમાં કરાયું હતું લગ્નનું આયોજન
ચેન્નઈમાં રહીને સ્પાઇસજેટ ઍરલાઇનમાં પાઇલટ તરીકેની જવાબદારી નચિકેતા નિભાવી રહ્યાં છે. ચેન્નઈમાં જ પોતાની સાથે વિમાનચાલક તરીકે કામ કરતા બેંગ્લોરના યુવાન કેપ્ટન અનિરુદ્ધ ક્રિષ્ના સાથે તેમણે લગ્નગ્રંથિથી જોડાવાનો નિર્ણય કર્યો, પરંતુ લગ્નના મુહૂર્ત સાથે જ જાનૈયાઓને ભેટ-સોગાદ આપવાની ચર્ચા થઈ. કોરોનાનો સમયગાળો સ્વસ્થ રહેવાનો છે.
અનોખી ભેટ આપવા શરૂ કર્યું મહાઅભિયાન
નચિકેતાએ તેના પપ્પાને કહ્યું, પપ્પા, એવું કંઈક આપણે કરી શકીએ કે જેથી સમાજને પણ એક ચીલો ચાતરીને સંદેશ આપી શકીએ. તેમાં મારા મત મુજબ જો આપણે મહેમાનોને અરડૂસીનો રોપો આપીએ તો કેવું!! એસ.ડી. રાવલને તો જોઈતું હતું અને વૈદે કહ્યું. તેમણે નચિકેતાના પ્રસ્તાવને સ્વીકારીને લગ્નના ત્રણ માસ અગાઉ એટલે કે સપ્ટેમ્બર મહિનામાં અરડૂસીના રોપાઓનો ઘેર જ ઉછેર કરવાનું શરૃ કર્યું.
લગ્નનું આયોજન કચ્છ -માંડવીના રિસોર્ટમાં આયોજન
લગ્નનું આયોજન કચ્છ -માંડવી ખાતેના એક રિસોર્ટ ઉપર કરવામાં આવ્યું હતું. ૧૭૫ જેટલા કુંડામાં અરડૂસીના રોપાઓ તૈયાર કરીને ઉછેરેલા રોપા ભાવનગરથી માંડવી ખાતે મોકલવામાં આવ્યા. અરડૂસી કફના નિવારક તરીકે આયુર્વેદમાં ઓળખાય છે. કોરોના એ કફનું, ફેફસાંનું સંક્રમણ છે. તેને હટાવવા અરડૂસી એક અકસીર ઇલાજ છે. આ ભેટથી એક સંદેશ ગયો, નિરામય જીવન માટે આયુર્વેદ તરફ પાછા ફરો. જ્યારે આ છોડના રોપા મહેમાનોને ભેટ આપવામાં આવ્યા ત્યારે જય ઘોષ થયો... 'આયુર્વેદ વિજયી ભવઃ'