સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલાં લોકડાઉનની અસર હવે ઉદ્યોગો પર જોવા મળી રહી છે. એક બાજુ 21 દિવસનું લોકડાઉન જ્યારે બીજી તરફ ડોલર સામે તૂટતા રૂપિયા તેમજ મજૂરો પોતાના વતન તરફ જતા રહેતા એશિયાના સૌથી મોટા અલંગ ખાતેનો જહાજ ભાંગવાના ઉદ્યોગની આર્થિક કરોડરજ્જૂ તૂટી જવા પામી છે. જો કે તેમ છતાં ઉદ્યોગકારોએ લોકડાઉનને સમર્થન આપ્યું છે.
કોરોના વાયરસના કારણે તમામ ઉદ્યોગો બંધ
અલંગમાં શિપબ્રેકિંગ ઉદ્યોગ પણ કપરી પરિસ્થિતિમાં
લોકડાઉનની અસર હવે ઉદ્યોગકારો પર
કોરોના વાયરસના કારણે રાજ્યના ઉદ્યોગો પર તેની અસર જોવા મળી રહી છે. લોકડાઉનના પગલે રાજ્યના ઉદ્યોગો બંધ હાલતમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે ભાવનગરના અલંગમાં શિપબ્રેકિંગ ઉદ્યોગ પણ કપરી પરિસ્થિતિમાં છે.
જો કે હાલ અલંગ શિપબ્રેકિંગમાં લોકડાઉનના કારણે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. જેમાં મજૂરોને સ્વ વેતન ચૂકવવાના કારણે જહાજ ભાંગવાના ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થયું છે. જો કે આ સ્થિતિમાં પણ અલંગના ઉદ્યોગકારોએ પ્રધાનમંત્રીના લોકડાઉનને સમર્થન આપ્યું છે. ઉદ્યોગકારોએ જણાવ્યું કે આ દેશ માટે જરૂરી પગલું છે.
ભાવનગરના અલંગ શિપયાર્ડમાં દર મહીને સરેરાશ 25 થી 40 જહાજો વિદેશથી આવે છે. પરંતુ હાલ એક માસથી એક પણ જહાજ આવ્યું નથી. અલંગમાં હજી 180 જેટલા પ્લોટ છે. જ્યાં સામાન્ય રીતે 100 જેટલા જહાજ ભાંગવાનું કામ થાય છે. પરંતુ હાલ આ તમામ જગ્યા સૂમસાન બની ગઇ છે. અલંગમાં 25 હજારથી વધુ મજૂરો કામ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જહાજ ભાંગવા માટે આવી શકતા નથી અને તેના કારણે કામ ઘટી રહ્યું છે. જ્યારે બીજી બાજુ જે જહાજ 4 કે 6 મહીના પહેલા ખરીદવામાં આવેલાના પૈસા ચૂકવવાના હોય, જો કે હાલ ડોલરના ભાવ વધી જતા શિપબ્રેકરોને ટેક્સ ચૂકવવો પડે છે.