કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં 30, 256 નવા મામલા મળ્યા છે તો 295 લોકોના મોત થયા છે.
24 કલાકમાં 30, 256 નવા મામલા મળ્યા
રિકવરી રેટ પણ તેજીથી વધતા 97.54 ટકા થઈ ગયો
એક્ટિવ કેસના આંકડા ગત 150 એટલે કે 5 મહિનામાં સૌથી ઓછા
24 કલાકમાં 30, 256 નવા મામલા મળ્યા
દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે નવા મામલા છેલ્લા કેટલા દિવસમાં 30 હજારની નજીક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં 30, 256 નવા મામલા મળ્યા છે. જો કે આ દરમિયાન 295 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે 43, 939 લોકો સાજા થયા છે. મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 3, 18, 181 છે. ત્યારે સાજા થનારાની સંખ્યા 3, 27, 15, 105 થઈ ચૂકી છે. ત્યારે કોરોનાથી 4, 45, 133 લોકોના મોત થયા છે. મંત્રાલયે જણાવ્યું કે નવા મામલા મળ્યા બાદ પણ કોરોનાના એક્ટિવ કેસમાં 13, 977 મામલાનો ઘટાડો નોંધાયો છે. મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાના કુલ મામલા હવે 3, 34, 78, 419 થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસના આંકડા ગત 150 એટલે કે 5 મહિનામાં સૌથી ઓછા છે. આ ઉપરાંત રિકવરી રેટ પણ તેજીથી વધતા 97.54 ટકા થઈ ગયો છે.
જાણો ક્યારે કેટલા કેસ નોંધાયા
દેશમાં ગત વર્ષ 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધારે થઈ ગઈ હતી. ત્યારે સંક્રમણના કુલ મામલા 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર થયા છે. દેશમાં 19 ડિસેમ્બરે આ મામલા એક કરોડને પાર , આ વર્ષે મેમાં 2 કરોડને પાર અને 23 જૂને 3 કરોડને પાર ચાલ્યા ગયા હતા.
રસીકરણની શું છે સ્થિતિ
ત્યારે રસીકરણની વાત કરીએ તો રવિવારે 37, 78, 29 ડોઝ અપાયા છે. અત્યાર સુધી 80, 85, 68, 144 લોકોને રસી મળી ચૂકી છે. બીજી તરફ ICMR અનુસાર રવિવારે 11, 77 607 સેમ્પલની તપાસ થઈ. સંસ્થાન અનુસાર અત્યાર સુધી 55, 36, 21, 11766 સેમ્પલ્સની તપાસ થઈ ચૂકી છે.
સૌથી વધારે કેસને પગલે આ રાજ્યમાં લોકડાઉન લાગી શકે
ઉલ્લેખનીય છે કે કેરળમાં છેલ્લા ઘણી દિવસથી સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેને પગલે રાજ્યમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. નોંધનીય છે કે રવિવારે કેરળમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 19653 નવા કેસ સામે આવ્યા છે અને મહામારીથી 152 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમણના કેસ વધીને 45,08,493 થયા છે અને સાથે મૃતકોની સંખ્યા 23,591 થઈ ચૂકી છે. કેરળમાં હાલમાં 1,73,631 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.