મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસે નવો રેકોર્ડ નોંધાવતા આજે 43183 નવા કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 43183 કેસ
249 લોકોના મોત, મુંબઈમાં પણ 8846 કેસ
મુંબઈમાં 5031 લોકોને અપાઈ રજા
છેલ્લા 24 કલાકમાં, મહારાષ્ટ્રમાં 43,183 નવા કોરોના ચેપ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 32,641 લોકોને રજા આપવામાં આવી હતી અને 249 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 28 લાખ 56 હજાર 163 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 24 લાખ 33 હજાર 368 તંદુરસ્ત બન્યા છે. 3,,66,,533 active સક્રિય દર્દીઓ છે. અત્યાર સુધીમાં 54,898 લોકોનાં મોત થયાં છે.
Maharashtra reports 43,183 new COVID-19 cases, 32,641 recoveries, 249 deaths in the last 24 hours
Total cases: 28,56,163
Total recoveries: 24,33,368
Active cases: 3,66,533
Death toll: 54,898 pic.twitter.com/aPpugamW74
મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,646 નવા કેસ નોંધાયા છે. જ્યારે 5,031 લોકોને રજા આપવામાં આવી છે અને 18 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, મુંબઇમાં કોરોનાના કુલ 4,23,360 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 3,55,691 લોકોને રજા આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મુંબઇમાં કોરોનાના 55,00૦૦ સક્રિય કેસ છે અને અત્યાર સુધીમાં કુલ 11,704 લોકોનાં મોત નીપજ્યાં છે.
આ વર્ષમાં અ પહેલી વાર છે કે આટલી મોટી સંખ્યામાં કેસ આવ્યા છે, સાથે જ છેલ્લા 24 કલાકમાં 249 લોકોના મોત પણ નિપજ્યાં છે, આમ સંક્રમણની સાથે જ મોતનો આંકડો પણ વધી રહ્યો છે.
पंजाब में पिछले 24 घंटों में #COVID19 के 3,187 नए मामले सामने आए हैं। 2,291 लोग डिस्चार्ज हुए और 60 लोगों की मृत्यु दर्ज़ की गई है।
જો કે એક મહત્વની વાત એ છે કે દેશમાં હવેથી 45 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકો માટે રસીકરણની છૂટ આપી દેવામાં આવી છે. આજથી 45 થી વધુની ઉંમરના તમામને રસી લગાડવાનું શરૂ પણ થઈ ગયું છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં 6,51,17,896 જેટલા લોકોને કોરોના રસી આપી દેવામાં આવી છે.
સાથે જ પંજાબમાં પણ આજે રેકોર્ડ બ્રેક 3187 નવા કેસ નોંધાયા છે અને દિલ્હીમાં પણ 2790 કેસ નોંધાતા સીએમ કેજરીવાલે ઇમરજન્સી મિટિંગ બોલાવી હતી. ગુજરાતમાં પણ રેકોર્ડ બ્રેક 2410 કેસ નોંધાયા હતા અને મુંબઇમાં આજે 8846 નવા કેસ આવ્યા હતા.