બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / coronavirus 1 to 9 standard annual exam goes canceled
ADVERTISEMENT
રાજ્યની ધો.1થી8 અને 9-11ની સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાઓને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોનાને લીધે રાજ્યની તમામ સ્કૂલો 14 દિવસ માટે બંધ કરીદેવાઈ હોવાથી હવે પરીક્ષાઓ પાછી ઠેલાય તેમ છે. જેને લીધે નવુ સત્ર પણ મોડુ શરૂ થાય તેમ છે. જેને પગલે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે આજે બેઠક કરીને સરકારને ધો.1થી9માં માસ પ્રમોશન આપી પરીક્ષા વગર પાસ કરી દેવા અને નવુ શૈક્ષણિક સત્ર એપ્રિલને બદલે જુન કે જુલાઈથી જ શરૂ કરવા રજૂઆત કરવાનું નક્કી કર્યુ છે.
શું કહે છે શાળા સંચાલક મંડળ?
ADVERTISEMENT
શાળા સંચાલક મહામંડળની બેઠકમાં નક્કી કરવામા આવ્યુ છે કે કોરોના વાયરસ અને આગામી સંભવિત પ્રભાવને ધ્યાને રાખીને જરૂર જણાય તો રાજ્યની શાળાઓમાં લેવાય ગયેલ અર્ધવાર્ષિક અને યુનિટ પરીક્ષાઓના આધારે ધો.1થી9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી એટલે કે વાર્ષિક પરીક્ષા વગર જ પાસ કરીને આગળના વર્ગમાં મોકલી દેવામા આવે તેવી સરકારને રજૂઆત કરવી.
.jpg)
ADVERTISEMENT
શું કહ્યું CM રૂપાણીએ?
CM રૂપાણીનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધો છે. જેમાં બાળકોનો અભ્યાસ ન બગડે એ હેતુથી નિર્ણય લેવાયો છે કે, ગુજરાતી પ્રાદેશિક TV ચેનલ્સ દ્વારા અભ્યાસ કરાવાશે. મહત્વના વિષયોનું રિવિઝન-પુનરાવર્તન કરાવાશે. વિદ્યાર્થીઓ ઘર બેઠા વિષયોનું રિવિઝન-અભ્યાસ કરી શકશે. આવતીકાલથી 1-1 કલાકનુ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. ધો-7થી9 અને 11ના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અપાશે.
ADVERTISEMENT

ઉત્તરપ્રદેશમાં વગર પરીક્ષાએ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાશે
ADVERTISEMENT
કોરોના વાઈરસના કારણે ઉત્તર પ્રદેશ સરકારે મોટો નિર્ણય લીધો છે. ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર આગળના ધોરણમાં જવા દેવામાં આવશે. યુપીના ચિફ સેક્રેટરી રેનુકા કુમાર દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે રાજ્યની તમામ પરીક્ષા રદ્દ કરી દીધી છે. શૈક્ષણિક સંસ્થા 2 એપ્રિલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.