ચીફ ઈકોનોમિક એડવાઈઝર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમનું કહેવું છે કે ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ ભારત માટે નિકાસ વધારવાનો અવસર હોઈ શકે છે. ભારત, એશિયામાં ચીનના પ્રમુખ ટ્રેડ પાર્ટનરોમાંનું એક છે અને તેની સાથેનો વેપાર પણ વધારે છે.
કોરોના વાયરસનો કહેર
ભારતને માટે છે નિકાસ વધારવાનો અવસર
ચીનમાં હાલ સુધી 1369 લોકોના મોત
કૃષ્ણમૂર્તિએ આઈઆઈએમ કલકત્તામાં કહ્યું કે એમ કહેવું ખૂબ જ મુશ્કેલ છે કે વેપારના મામલે ભારત-ચીન સંબંધો પર તેની શું અસર પડશે. જો કે કરોના વાયરસ ચોક્કસપણે ભારતને નિકાસ આધારિત મોડેલને અનુસરવાની સારી તક આપે છે. વધુમાં તેઓએ કહ્યું છે કે ચીન ઘણાં કોમ્પોનન્ટસ્ અને પાર્ટ્સની આયાત કરે છે અને તેમને એસેમ્બલ કરીને તેની નિકાસ કરે છે. તેમણે કહ્યું 'ભારત પણ મોબાઇલ ઉત્પાદનની બાબતમાં સમાન પેટર્ન પર કામ કરે છે. આવી સ્થિતિમાં જોવામાં આવે તો ભારત માટે આ સારી તક હોઈ શકે છે.
જીડીપીને લઈને કૃષ્ણમૂર્તિએ કહી આ વાત
જીડીપી વિશે વાત કરતાં સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે આર્થિક સર્વેમાં આગામી નાણાકીય વર્ષમાં તે 6-6.5% રહેવાનો અંદાજ છે. કેટલાક અનુમાનોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય બજેટમાં ગ્રામીણ વપરાશ અને મૂડી ખર્ચ પર પણ ઘણો ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે 'કોઈપણ અર્થવ્યવસ્થામાં વિકાસ દર સતત રહેતો નથી, પરંતુ અમારે સરેરાશ દરને શ્રેણીમાં રાખવો પડશે.'
હાલમાં ચીનમાં કોરોના વાયરસની મહામારીના કારણે મૃત્યુદર 1369 પહોંચ્યો છે જ્યારે કુલ કેસની સંખ્યા 60,329ની નોંધાઈ છે.