કોરોના વાયરસ મહામારી સંદર્ભે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. છાત્રાલયોમાં અભ્યાસ કરતા 3.25 લાખ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરાયો છે. એપ્રિલમાં વાલીના ખાતામાં રૂ.1500 જમા કરવામાં આવશે. છાત્રાલયોમાં રહી અભ્યાસ કરતા બાળકો માટે નિર્ણય કરાયો છે.
કોરોના વાયરસ મહામારી સંદર્ભે સરકારનો નિર્ણય
છાત્રાલયોમાં રહી અભ્યાસ કરતા બાળકો માટે કરાયો નિર્ણય
એપ્રિલમાં વાલીના ખાતામાં રૂ.1500 જમા કરવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા 1થી 9 અને 11માં ધોરણના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે હવે છાત્રાલયોમાં અભ્યાસ કરતા 3.25 લાખ વિદ્યાર્થીઓના ખર્ચ માટે સરકાર આર્થિક સહાય કરશે. સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને એપ્રિલ માસના ખર્ચ રૂપે 1500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એપ્રિલમાં વાલીના ખાતામાં રૂ.1500 જમા કરવામાં આવશે. રાજ્ય સરકાર પર 50 કરોડ જેટલો બોજો પડશે. દિવ્યાંગ છાત્રાલયમાં રહેતા બાળકો માટે પણ આર્થિક લાભ મળશે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો નિર્ણય
તો બીજી તરફ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળો પણ કોરોનાની લડતમાં આવ્યા સામે છે. તમામ સ્વનિર્ભર શાળાના સંચાલકો ભેગા મળીને મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખની સહાય કરશે. કોરોના સામે લડત માટે તમામ લોકો યોગદાન આપી રહ્યા છે. સમગ્ર ગુજરાતની ખાનગી શાળાના સંચાલકો યોગદાન આપવાના છે.
મહત્વનું છે કે, સમગ્ર વિશ્વ અને રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં 3 કરોડ 50 લાખ લોકોનો સર્વે કરાયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાથી કુલ ત્રણ મોત થયા છે. અમદાવાદ, સુરત અને ભાવનગરમાં એક-એક મોત થયું છે. ત્રણેય દર્દીઓ ઉંમરલાયક હતા અને કોઈને કોઈ રોગથી પિડાતા હતા. ગુજરાતમાં હાલ કોરોનાના 47 પોઝિટિવ દર્દીઓ છે.
જાણો ક્યાં કેટલા પોઝિટિવ કેસ
અમદાવાદમાં 15, સુરતમાં 7, વડોદરામાં 8, ગાંધીનગરમાં 7, રાજકોટમાં 5 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે, ત્યારે વધુ 3 પોઝિટિવ કેસ આવતા કુલ સંખ્યા 8 થઇ છે. કચ્છમાં 1 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. 47માંથી 37 દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે. ગુજરાતમાં 20 હજાર લોકોને 14 દિવસના કોરન્ટાઈનમાં રખાયા છે. તેમાંથી 575 લોકો સરકારી જ્યારે 19300 હોમ કોરન્ટાઈનમાં છે. હોમ કોરન્ટાઈનના ભંગ બદલ 236 લોકો સામે કેસ કરવામાં આવ્યો છે.