ભારતમાં આજથી દુનિયાની સૌથી મોટી વેક્સીનેશન ડ્રાઇવ શરુ થવા જઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કોરોના વેક્સીનેશન ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ કોરોના વેક્સીનેશન અભિયાનને લઇને સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
સંજીવનીનું કામ કરશે કોરોના વેક્સિનઃ આરોગ્ય મંત્રી હર્ષવર્ધન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોના સામેની લડાઇમાં વેક્સિનને સંજીવની બતાવી છે અને તેને લઇને ફેલાવામાં આવી રહેલી અફવાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. દિલ્હી સ્થિત એમ્સમાં કોરોના વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરવા પહોંચેલા આરોગ્ય મંત્રી હર્ષર્ધને કહ્યું, કેટલાક શરારતી તત્વો દ્વારા વેક્સિન માટે ખોટી-ખોટી અફવાઓ ફેલાવી ગેરસમજણ ઉભી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
અદાર પૂનાવાલાએ લીધી વેક્સિન
દેશમાં કોરોના વાયરસ સામે મહાઅભિયાન શરૂ થવા પર સિરમ ઇન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલાએ કહ્યું તે ભારતના વડાપ્રધાન મોદી અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવે છે. તેમણે કહ્યું કે ભારતે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરી દીધું છે અને આ મારા માટે ગર્વની વાત છે કે કોવિશિલ્ડ આ અભિયાનનો હિસ્સો છે. મેં પણ મારા કર્મચારીઓ સાથે રસી લીધી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું વેક્સિન સેન્ટરો હજુ પણ વધારાશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન થોડા સમય પહેલા દિલ્હીના એલએનજેપી હોસ્પિટલ પહોંચ્યાં અને કોરોના વેક્સિનેશન કાર્યક્રમની સમીક્ષા લીધી. સીએમ કેજરીવાલે કહ્યું દિલ્હીમાં વેક્સિનેશન કાર્યક્રમને લઇને લોકો ઘણા ખુશ છે અને દિલ્હીમાં સરકાર વેક્સિનેશન કેન્દ્રો હજુ પણ વધારશે.
8,100 people will get the vaccine at 81 vaccination centres in Delhi. I appeal to the people not to pay heed to rumours. Experts have said that the vaccines are safe: Delhi Chief Minister Arvind Kejriwal after witnessing vaccine administration at LNJP hospital pic.twitter.com/jgjHUDfDh7
ભાજપના સાંસદ ડો. મહેશ શર્મા કોરોના વેક્સીન લેનાર પહેલા સાંસદ બન્યા છે. ડોકટર શર્માએ કહ્યું કે તેમને કોવિશીલ્ડ વેક્સીન લગાવી છે. તેમણે કહ્યું કે કોરનાકાળ દરમિયાન તેમણે કોરોના ફ્રન્ટલાઇન વર્કર તરીકે કામ કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને સંબોધન કરતા ભાવુક થયા. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળ દરમિયાન આપણા કેટલાંક સાથીઓ એવી રહ્યાં જે બીમાર થઇ હોસ્પિટલ તો ગયા પણ પરત ફર્યાં નહી. પીએમ મોદીએ કહ્યું કે સંકટના તે સમયમાં, નિરાશાના એવા વાતાવરણમાં, કોઇ આશાનું કિરણ લાવી રહ્યું હતું, આપણને બચાવવા માટે પોતાના પ્રાણોને સંકટમાં નાંખી રાખ્યા હતા. આ લોકો હતા આપણા ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ ડ્રાઇવર, આશા વર્કર, સફાઇ કર્મચારી, પોલીસ અને બીજા ફ્રંટલાઇન વર્કર્સ.
પીએમ મોદીએ દેશવાસીઓને કરી અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું આ વાત ફરી યાદ કરવા ઇચ્છીશ કે કોરોના વેક્સીનની 2 ડોઝ લગાવવી ઘણી જરૂરી છે. પીએમ મોદીએ લોકોને પ્રાર્થન કરી કે તમે બે ડોઝ જરુરથી લગાવજો, એક ડોઝ લગાવાની ભૂલ ન કરશો. પીએમ મોદીએ કહ્યું કે પહેલા અને બીજા ડોઝ વચ્ચે લગભગ એક મહીનાનું અંતર રાખવું, એમાં પણ ધ્યાન રાખવું કે બીજા ડોઝ લગાવતા 2 અઠવાડિયા પછી તમારા શરીરમાં કોરોનાના સામેની જરુરી શક્તિ વિક્સિત થઇ શકશે.