કોરોનાના દૈનિક મામલાની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગત 24 કલાકમાં કોરોના 18,833 મામલા આવ્યા
એક્ટિવ કેસની સંખ્યા 2, 46, 687 છે
ગત 37 દિવસથી દૈનિક પોઝિટિવિટી દર પણ (1.68 ટકા) 3 ટકાથી ઓછો
ગત 24 કલાકમાં કોરોના 18,833 મામલા આવ્યા
ભારતમાં કોરોનાનો કેર ધીરે ધીરે ઓછો થતો નજરે પડી રહ્યો છે. દૈનિક મામલાની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશભરમાં ગત 24 કલાકમાં કોરોના 18,833 મામલા સામે આવ્યા છે. દેશમાં એક્ટિવ મામલા કુલ મામલાના 1 ટકાથી ઓછો ભાગ છે. માર્ચ 2020 બાદથી આ સૌથી ઓછા છે. જો કે તહેવારોની સીઝનને જોતા એક્સપર્ટ્સે લોકોને કોરોનાની ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવાની સલાહ આપી છે.
એક્ટિવ કેસની સંખ્યા 2, 46, 687 છે
ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 2, 46, 687 છે. આ 203 દિવસમાં સૌથી ઓછા છે. એટલું જ નહીં દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધ્યો છે. વર્તમાનમાં આ 97. 94 ટકા માર્ચ 2020 બાદ સૌથી વધારે છે.
24 કલાકમાં 24, 770 લોકો સાજા થયા
ગત 24 કલાકમાં 24, 770 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. જે બાદ કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,31, 75, 656 થઈ ગઈ. કોરોના પોઝિટિવ થનારા દર્દીઓની અઠવાડિયાની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 103 દિવસ માટે અઠવાડિયામાં પોઝિટિવિટી દર (1.68 ટકા) 3 ટકાથી ઓછો બનેલો છે.
ગત 37 દિવસથી દૈનિક પોઝિટિવિટી દર પણ (1.68 ટકા) 3 ટકાથી ઓછો
દૈનિક પોઝિટિવિટી દર પણ ગત 37 દિવસથી (1.68 ટકા) 3 ટકાથી ઓછો બનેલો છે. કોરોનાના મામલાની ઓળખ કરવા માટે ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે. અત્યાર સુધી દેશભરમાં 57.68 કરોડ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. ત્યારે લોકોને વાયરસ સાથે સુરક્ષા આપવા માટે દેશભરમાં કોરોનાનું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધી કુલ 92.17 રસી લગાવાઈ ચૂકી છે.