કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાં કેટલાક એવા પણ લોકો છે કે જે સંક્રમિત હોય તેમ છતાં લક્ષણો દેખાતા નથી. આ થિયરીને લઇને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે અને એક સ્ટડી પ્રમાણે નાક, ગળા અને ફેફસામાં એટલા જ કોરોના વાયરસ હોય છે જેટલા કે કોરોનાથી બિમાર એક વ્યક્તિમાં હોય છે.
કોરોના સંક્રમણ પર વધુ એક સ્ટડી
લક્ષણ વગરના દર્દીઓ પર સ્ટડી
લક્ષણ વગરના દર્દીઓને લઇને સાઉથ કોરિયામાં કરાયેલ સ્ટડીને જામા ઇન્ટરનલ મેડિસીનમાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે. જેટલા વાયરસ લક્ષણવાળા વ્યક્તિઓમાં હોય છે તેટલા જ બિનલક્ષણવાળા વ્યક્તિઓમાં હોય છે.
ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર હોન્ગકોન્ગ યુનિવર્સિટીની આ સ્ટડીની થિયરી કેટલીક વાતો સાબિત કરે છે, જેને લઇને આપણે દરેક લોકો આશંકાઓ સેવતા હતા. જેને લક્ષણ નથી દેખાતા તેવા લોકો અલગ પ્રકારની પિડાથી પિડાતા હોય છે.
કેટલાક એક્સપર્ટ કહે છે કે, જે લોકોને કોરોનાના લક્ષણ નથી પરંતુ તે સંક્રમિત છે તો તેવા લોકોથી સંક્રમણ થવાની આશંકા ખૂબ ઓછી છે. સંક્રમિત લોકોને ઘરમાં કે હોસ્પિટલમાં આઇસોલેટ કરી દેવામાં આવે છે પરંતુ લક્ષણ વગરના લોકો ઑફિસ જાય છે અને ફરે છે સાથે જ તે ઘણા લોકોને બિમાર પણ કરે છે.
સ્ટડિ દરમિયાન સાઉથ કોરિયાની ટીમને 6 માર્ચથી 26 માર્ચ દરમિયાન 193 લક્ષણા અને 110 લક્ષણ વગરના લોકોના સેમ્પલ લઇને સ્ટડી કરવામાં આવી હતી.