IIPS સ્ટડીઝમાં સામે આવ્યું છે કે ભારતમા કોરોના વાયરસનાં કારણે લોકોનું આયુષ્ય આશરે બે વર્ષ સુધી ઘટી ગયું છે.
ઘટી ગયું ભારતીયોનું આયુષ્ય
કોરોના વાયરસની માઠી અસર
બે વર્ષ સુધી ઘટી ગઈ ઉંમર
નવી સ્ટડીમાં ચોંકવાનારો ખુલાસો
ભારતમા કોરોના વાયરસની જબરદસ્ત અસર જોવા મળી છે. કોરોના વાયરસનાં કારણે ભારતમા ઘણા બધા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા જ્યારે કેટલાક લોકો સંક્રમિત થયા અને પોતાની શક્તિ ગુમાવી, એવામાં નવી સ્ટડીમાં સામે આવ્યું છે કે દેશમાં રહેતા કરોડો લોકોની ઉંમરમાં પણ કોરોના વાયરસનાં કારણે ખરાબ અસર થઈ છે.
ઘટી ગયું ભારતીયોનું આયુષ્ય
ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટયુટ ફોર પોપ્યુલેશન સ્ટડીઝમાં સામે આવ્યું છે કે ભારતમા કોરોના વાયરસનાં કારણે લોકોનું આયુષ્ય આશરે બે વર્ષ સુધી ઘટી ગયું છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે પુરુષોની સરેરાશ ઉંમર 69.5 વર્ષથી ઘટીને 67.5 વર્ષ થઈ ગઈ છે જ્યારે મહિલાઓની ઉંમર પણ ઘટીને 72 વર્ષથી ઘટીને 69.8 વર્ષ રહી ગઈ છે.
સરેરાશ બે વર્ષ ઘટી ગઈ ઉંમર
IIPS ના સહાયક પ્રોફેસર સૂર્યકાંત યાદવે નિવેદન આપતા કહ્યું કે આ સ્ટડી ગુરુવારે જાહેર કરવામાં આવી છે જેમા માણસનાં જીવનકાળમાં અસમાનતાની અવધિ પર ધ્યાન આપવામાં આવ્યું છે. સ્ટડીમાં ખુલાસો થયો છે કે સૌથી વધારે મોત 35 થી 69 સુધીનાં વયજૂથમાં થઈ છે. રિપોર્ટ અનુસાર 2020માં 35થી 79 ના વયજૂથમાં સામાન્ય કરતાં વધારે મોત થઈ છે જેના કારણે સરેરાશ આયુષ્ય ઘટી ગયું છે.
કોરોનાના કારણે પરેશાન થઈ જનતા
નોંધનીય છે કે ભારતમા કોરોના વાયરસના કારણે ઘણા બધા લોકોમાં રોગપ્રતિકાર શક્તિ ઓછી થઈ અને ઘણાને તો અન્ય બીમારીઓ થઈ હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. એવામાં IIPS ની સ્ટડીથી સ્પષ્ટ છે કે મહામારી ભારત જેવા દેશ પર ભારે પડી રહી છે.