ઓમિક્રોનના વધતા કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને નવા આદેશ જાહેર કર્યા છે. કેન્દ્રએ કહ્યું છે કે જે લોકોને ઉધરસ, ગળામાં દુ:ખાવો અને તાવ છે, તેમને કોરોના શંકાસ્પદ હોવો જોઈએ અને કોરોનાનો ટેસ્ટ કરાયેલો હોવો જોઈએ.
ઓમિક્રોનના વધતા કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને આપ્યાં નવા આદેશ
જો શરીરમાં આ લક્ષણો દેખાય તો આવશ્ય ટેસ્ટ કરાવજો
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સેક્રેટરીને પત્ર લખ્યો
કેન્દ્રીય સ્વાસ્થ્ય સેક્રેટરીએ રાજ્યોના મુખ્ય સેક્રેટરીને લખ્યો પત્ર
કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપતા કહ્યું છે કે ઉધરસ, માથાનો દુ:ખાવો, ગળામાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુ:ખાવો, સ્વાદમાં કમી, થાક અને ઝાડા સાથે તાવ વગરના કોઈ પણ વ્યક્તિને COVID-19નો એક શંકાસ્પદ કેસ હોવો જોઈએ. જ્યાં સુધી બીજુ સાબિત ના થાય. ખરેખર, કેન્દ્રીય સ્વાસ્થ્ય સેક્રેટરી રાજેશ ભૂષણ અને આઈસીએમઆરના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સેક્રેટરીને પત્ર લખ્યો છે, જેમાં આ નિર્દેશ આપવામાં આવ્યાં છે. જેમાં અલગ-અલગ સ્થાનો પર ચોવીસ કલાક કાર્યાત્મક આરએટી બૂથ સ્થાપિત કરવા, ચિકિત્સા અને પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ કરવો અને ડોમેસ્ટિક પરીક્ષણ કીટના ઉપયોગના નિર્દેશ પણ આપવામાં આવ્યાં છે.
દેશમાં ઓમિક્રોનના કેસોની કુલ સંખ્યા 1270 થઈ
કેન્દ્ર સરકારે રાજ્યોને આ નિર્દેશ એવા સમયે આપ્યાં છે, જ્યારે દેશમાં ઓમિક્રોનના કેસ અંકુશમુક્ત થઇ રહ્યાં છે. દેશમાં ઓમિક્રોનના કેસોની કુલ સંખ્યા વધીને 1270થી વધુ થઇ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 450 અને 320 કેસો છે. કેરળમાં ઓમિક્રોનના 44 નવા કેસો સામે આવ્યાં છે. ત્યારબાદ રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટનો કુલ આંકડો 107 થયો છે. તો કર્ણાટકમાં ઓમિક્રોનના 23 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. સુધાકરે જણાવ્યું કે સામે આવેલા 23 નવા કેસોમાંથી 19 અમેરિકા, યુરોપ, મધ્ય પૂર્વ અન આફ્રિકાના આંતરરીષ્ટ્રીય પ્રવાસી છે.