રાજ્યમાં આજે કોરોનાના નવા 884 કેસ આરોગ્ય તંત્રના ચોપડે નોંધાયા છે સાથે ત્રણ લોકોના મોત થયા હોવાનું પણ જાહેર થયું છે.
આજે કોરોનાના વધુ 884 કેસ ઉમેરાયા
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 5270
વેન્ટિલેટર હેઠળ સરવાર લેતા 9 દર્દીઓ
કોરોનાની બીજી-ત્રીજી લહેર દરમિયાન મોતનું તાંડવ રચનાર કોરોના માંડ શાંત પડયો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કોરોના ફરી ભયાનકરૂપ ધારણ કરતો હોય તેવું કોરોના પોઝિટિવ કેસના આંકડા પરથી લાગી રહ્યું છે. રાજ્યમાં આજે ફરી કોરોનાના નવા 884 કેસ ઉમેરાયા છે. એટલું જ નહિ કોરોનાથી મોતનો ગોઝારો શીલશીલો પણ યથાવત રહેવા પામતા લોકોમાં ચિંતા જન્મી છે. આજે કોરોનાને પગલે વધુ ત્રણ લોકો મોતના ખપ્પરમાં હોમાયાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.બીજી બાજુ 770 દર્દીઓએ કોરોનાને ભોભીતર કરીને સાજા થયાનું સામે આવ્યું છે. ગઇકાલે રાજ્યમાં કુલ 816 કોરોનાના નવા દર્દીઓ ઉમેરાયા હતા. જેની સરખામણીએ આજે કેસોમાં ઉછાળો આવ્યો છે.
મહાનગરોમાં કોરોનાના કેસ
અમદાવાદ શહેરમાં આજે 324 કેસ સામે આવ્યા છે. ઉપરાંત એક વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યાંનું જાહેર થયું છે. વધુમાં સુરતમાં 51 કેસ સામે એક માનવ જિંદગી કોરોનાના ખપ્પરમાં હોમાઈ છે. વડોદરામાં 69 અને રાજકોટમાં 25 કેસ સામે આવ્યા છે વધુમાં ગાંધીનગરમાં 35 અને ભાવનગરમાં 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તથા જામનગરમાં પણ 10 કેસ અવ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. આમ આજે 3 લોકોના મોત નિપજયા હડકંપ મચી ગયો છે.
જિલ્લાના કોરોના પોઝિટિવ કેસ
વધુમાં જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં 49 કેસ, અમદાવાદમાં 8, ગાંધીનગરમાં 44, સુરતમાં 21, કચ્છમાં 37, પાટણમાં 20,વલસાડમાં 15, આણંદમાં 15 અને ભરુચમાં 11 તેમજ રાજકોટમાં 20 સહિત રાજ્યભરમાં કુલ 884 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 5270
વધુમાં આજે મોતનો આંકડો વધ્યો છે અને ત્રણ મોત થયાનું સામે આવ્યું છે. જેને લઈને લોકોમાં ચિંતા જાગી છે. આ ઉપરાંત રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 5270 છે જેમાંથી 9 લોકોની સ્થિતિ ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર હેઠળ સરવાર લઈ રહ્યા છે અને આજે 3,47,459 લોકોએ વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે. રાજ્યમાં કોરોના દર્દીઓના સાજા થવાનો દર 98.70 છે.