દેશમાં છેલ્લા 24 કલાકમાં 90 હજાર 928 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા, તો ગુજરાતમાં આજે 4213 કેસ સામે આવતા તંત્રની ઊંઘ ઉડી, આરોગ્ય કર્મીઑની રજા રદ્દ
ગુજરાતમાં કોરોનાની ફરી ઘાતક એન્ટ્રી
છેલ્લા 24 કલાકમાં 4213 કેસ સામે આવતા ફફડાટ
ગુજરાતમાં જાણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 4213 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ચૂકી છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં1835 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1105 કેસ તો વડોદરામાં 116, કેસ અને રાજકોટ શહેરમાં 183 અને ગ્રામ્યમાં 41 કેસ સામે આવ્યા છે.આજે 5.01 લાખ લોકોને વેક્સિન આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 9.23 કરોડ વેક્સિનના ડોઝઅપાઈ ચૂક્યા છે.તમામ આરોગ્ય અધિકારીઑ અને કર્મચારીઓની રજા પણ રદ્દ કરી નાખવામાં આવી છે.કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસોની વાત કરવામા આવે તો હાલની સ્થિતિએ અમદાવાદ શહેરમાં 1835 કેસ સામે આવતા જાણે કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવુ લાગી રહ્યું છે. અમદાવાદ ગ્રામ્યમાં 27 કોરોના કેસ, સુરત કોરોનાનું બીજું હોટસ્પોટ બની ચૂક્યું છે. સુરતમાં આજે 1105 કોરોના કેસ તો ગ્રામ્યમાં 88 કેસ નોંધાયા મનપાને ભરશિયાળે પરસેવો છૂટવા મંડ્યો છે.રાજકોટ શહેરમાં 183 કોરોના કેસ- ગ્રામ્યમાં 41 કેસ,વડોદરામાં 116 કેસ,ભાવનગરમાં 40,જામનગરમાં 33 કોરોના કેસ, ગાંધીનગર 91 કોરોના કેસ, જૂનાગઢમાં 32 કોરોના કેસ,આણંદમાં 112, કચ્છમાં 77, ખેડામાં 66 કેસ,વલસાડમાં 58, નવસારીમાં 46, ભરૂચમાં 43 કેસ, સાબરકાંઠામાં 23, મહેસાણામાં 22 કેસ,દ્વારકામાં 18, મોરબીમાં 18, પંચમહાલમાં 18 કેસ, સુરેન્દ્રનગરમાં 17, અમરેલીમાં 16 કેસ,દાહોદામાં 15, ગીર સોમનાથમાં 15 કેસ,તાપીમાં 14, બનાસકાંઠામાં 12, અરવલ્લીમાં 11 કેસ,મહીસાગરમાં 7, નર્મદામાં 6 કેસ, પોરબંદરમાં 5 કેસ, છોટાઉદેપુરમાં 3 કેસ નોંધાયા છે.
ઓમિક્રૉનનો એક પણ કેસ નોંધાયો નથી
પુન:કંટ્રોલ રુમ કાર્યરત થશે
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તંત્રએ કમર કસી છે.મુખ્ય સચિવ પંકજ કુમારના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.આ બેઠકમાં 10 નોડલ ઓફિસર,આરોગ્ય અધિકારીઓ સહિતના સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.આગામી સમયમાં ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે કોરોનાને લઈને પુન:કંટ્રોલ રુમ કાર્યરત કરાશે.આ સાથે તંત્રને ટેકનિકલી અપડેટ રહેવા માટે પણ સૂચના અપાઇ છે.સારી આરોગ્ય સુવિધા સહિત ડિજિટલી એક્ટિવ રહેવા પર ભાર મૂકાયો છે.
ભારતમાં આજે 90 હજારથી વધુ કેસ સામે આવ્યા
દેશમાં કોરોના સંક્રમણની સ્પીડ ખતરનાક રીતે વધી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગત 24 કલાકમાં 56 ટકાના વધારા સાથે 90 હજાર 928 લોકો સંક્રમિત થયા છે. આની પહેલા બુધવારે 58 હજાર મામલા સામે આવ્યા હતા. ગત 24 કલાકમાં હજારો લોકો આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 2630 થઈ ગઈ છે. જેમાંથી 995 લોકો સાજા થયા છે. દિલ્હીની વાત કરીએ તો ખરાબ વાત એ છે કે અહીં 10 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જે ચિંતાજનક છે. રિકવરી દર પણ ગત દિવસોની સરખામણીએ ઘટીને 97. 81 ટકા રહી ગયો છે.