ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,82,970 નવા કેસ કોરોના પોઝિટિવ નોંધાયા, તો આજે ગુજરાતમાં 20,966 કેસ નોંધાતા તંત્ર ચિંતાતુર
ગુજરાતમાં કોરોના કેસની રફતાર..
છેલ્લા 24 કલાકમાં અધધ 20,966 કેસ આવ્યા પોઝિટિવ
ગુજરાતમાં કોરોનાએ રોદ્ર રૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા 24 કલાકમાં 20,966 કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્ર વધુ સાબદું થઈ ગયું છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 8,371 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 3318 કેસ તો રાજકોટમાં 1259 કેસ, વડોદરામાં 1998 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 446 કેસ, ભાવનગરમાં 526 કેસ સામે બહાર અવાતા ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો 12 લોકોના મોત થયા છે જ્યારે 125 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 9828 દર્દીઓ સાજા થયા છે.આજે રાજ્યમાં કુલ 2.02 લાખ લોકોનું રસીકરણ થયું. અત્યાર સુધી કુલ 9.55 કરોડ રસીના ડોઝ અપાયા. હાલ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 89.67 ટકા છે. આ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ 90,726 કેસ સુધી પહોંચી ગયા છે. છેલ્લા 15 દિવસમાં ( 5 જાન્યુ. થી 19 જાન્યુ. 2022) સુધી 1,39,785 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે
કયા જિલ્લામાં કેટલા કેસ?
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસોની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં આજે કુલ 8529 કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધીમાં અમદાવાદમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ છે. તો આ તરફ બીજી હોટસ્પોટ સુરતમાં 3974 કેસ તો ત્રીજા હોટસ્પોટ વડોદરામાં 2252 કેસ નોંધાયા છે. રાજકોટ પણ ધીરે ધીરે કોરોનાની ઝપેટમાં આવ્યું છે. રાજકોટમાં 1386 કેસ, જુનાગઢમાં 114 કેસ, ભાવનગરમાં 570 કેસ, જામનગરમાં 335 કેસ નોંધાયા, ગાંધીનગરમાં 624 કેસ નવા કેસ, વલસાડમાં 387 કેસ, ભરૂચમાં 302 કેસ, નવસારીમાં 278 કેસ, મોરબીમાં 265 કેસ, મહેસાણા 258 કેસ, આણંદમાં 247 કેસ, બનાસરકાંઠામાં 240 કેસ, કચ્છમાં 194 કેસ, ખેડામાં 168 કેસ, પાટણમાં 151 કેસ, સુરેન્દ્રનગરમાં 146 કેસ, નર્મદામાં 84 કેસ, દાહોદમાં 75 કેસ, પોરબંદરમાં 61 કેસ, સાબરકાંઠામાં 54 કેસ, અમરેલીમાં 47 કેસ, દ્વારકામાં 46 કેસ, તાપીમાં 43 કેસ, પંચમહાલમાં 42 કેસ, ગીર સોમનાથમાં 39 કેસ, મહીસાગરમાં 37 કેસ,ડાંગમાં 9 કેસ, અરવલ્લી જિલ્લામાં 4 કેસ,બોટાદમાં 3 કેસ, છોટા ઉદેપુરમાં 2 કેસ કોરોના સામે આવતા હવે ગુજરાતમાં લગભગ તમામ જિલ્લામાં કોરોનાએ દસ્તક આપી દીધી છે.
દેશમાં 3 લાખ નજીક પહોંચ્યો કોરોના કેસનો આંક
દેશમાં જીવલેણ કોરોના વાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના બે લાખ 82 હજાર 970 નવા કેસ નોંધાયા છે અને 441 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 18 લાખ 30 હજાર થઈ ગઈ છે. બીજી બાજુ, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 87 હજાર 202 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે એક લાખ 88 હજાર 157 લોકો સાજા થયા હતા, આમ અત્યાર સુધીમાં 3 કરોડ 55 લાખ 83 હજાર 39 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે.દેશમાં અત્યાર સુધીમાં 8 હજાર 961 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં છે.