ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 96 કેસ નોંધાયા, એક પણ મોત નહીં, 237 દર્દી ડિસ્ચાર્જ જ્યારે કુલ એક્ટિવ કેસ 1109 જ રહ્યા
ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો
આજે છેલ્લા 24 કલાકમાં 96 કેસ કોરોના પોઝિટિવ
ગુજરાતમાં કોરોના નિયંત્રણો ના બરોબર કરી દેવામાં આવ્યા છે. નાઈટ કર્ફ્યૂ પણ મહાનગરોમાંથી હટાવી લેવામાં આવ્યો છે. હવે ત્રીજી લહેર વિદાય લઈ રહી છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 96 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. સારી વાત એ છે કે કોરોનાને લીધે એક પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. જ્યારે 237 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1109 જ રહી છે. જ્યારે 08 દર્દીઓ વેન્ટિલેટર પર છે
જિલ્લા પ્રમાણે કોરોના કેસ..
દેશમાં પણ કોરોનાની રાહતની સ્થિતિ
ભારતમાં બે મહિના બાદ કોરોનાના દૈનિક કેસ 7 હજારની નીચે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 6 હજાર 396 નોંધાયા છે જ્યારે 201ના મૃત્યુ થયા છે. એક દિવસમાં 13 હજાર 450 લોકો કોરોનાથી સ્વસ્થ હેમખેમ ઘરે પરત ફર્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ એક લાખથી નીચે આવી ગયા છેઃ. હવે 69 હજાર 897 કેસ હાલ કોરોનાના સક્રિય છે. ભારતમાં કોરોનાના અત્યાર સુધી કુલ કેસ 4 કરોડ 29 લાખ 51 હજાર 556 કેસ નોંધાયા છે. અને કુલ કરોડ 23 લાખ 67 હજાર 70 દર્દી સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5 લાખ 14 હજાર 589 પર પહોંચી ગયો છે.