ભારતમાં કોરોનાના નવા કેસ 6 હજાર 913 નોંધાયા, તો આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 162 કેસ કોરોના પોઝિટિવ
ગુજરાતમાં કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો
આજે છેલ્લા 24 કલાકમાં 162 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના આંકડો ફેબ્રુઆરીના શરૂઆતથી અંત સુધી સતત ઘટી રહ્યો હતો આજે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગત મહિના કરતાં કેસમાં આંશિક વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 162 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાને 02 લીધે લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 333 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1647 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 16 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
આજથી લગ્ન સમારંભ અને અન્ય કાર્યક્રમોમાં સંખ્યા પર કોઈ જ મર્યાદા નહીં
ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો આવતા ગુજરાત સરકારે મોટી લોકોને મોટી રાહત આપી છે.કોરોનાને લઈને મુકાયેલા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. લગ્ન, સામાજીક, ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા પર કોઈ જ મર્યાદા રાખવામાં આવી નથી.નવુ જાહેરનામુ 31 માર્ચ સુધી અમલી રહેશે.જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે.
ચાર મહિના સુધી ચાલશે કોરોનાની ચોથી લહેર
IIT કાનપુરના સંશોધકોએ ચેતવણી આપી છે કે કોવિડ -19 રોગચાળાની ચોથી તરંગ 22 જૂનની આસપાસ શરૂ થઈ શકે છે અને ઓગસ્ટના અંત સુધીમાં ટોચ પર હોઈ શકે છે. અભ્યાસ મુજબ ચોથી લહેરની અસર લગભગ ચાર મહિના સુધી રહી શકે છે. સંશોધનમાં આંકડાકીય મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના પરિણામો દર્શાવે છે કે આગામી લહેર લગભગ ચાર મહિના સુધી ચાલશે. સંશોધન અનુસાર, જે ડેટા સામે આવ્યા છે તે સૂચવે છે કે ભારતમાં કોવિડ -19 ની ચોથી લહેર પ્રારંભિક ડેટાની ઉપલબ્ધ તારીખથી 936 દિવસ પછી આવશે.