દિલ્હીમાં હવે કોરોનાએ કોહરામ મચાવવો શરુ કરી દીધો. સંસદ ભવનમાં કામ કરતા કર્મચારીઓ,સુરક્ષા કર્મીઓનો કોવિડ ટેસ્ટ થયો જેમાં 400 થી વધુ લોકોનો રીપોર્ટ પોઝીટીવ.
સંસદ ભવનમાં પહોચી ગયો કોરોના
સંસદના 400 કર્મચારીઓ પોઝીટીવ
દેશભરમાં કેસની સંખ્યા 4, 4,72,169
દિલ્હીમાં હવે કોરોનાએ કોહરામ મચાવવો શરુ કરી દીધો છે અને સંક્રમણ હવે સંસદ સુધી પહોચ્યું છે. તારીખ 6 અને 7 જાન્યુઆરીએ સંસદ ભવનમાં કામકરતા કર્મચારીઓ,સુરક્ષા કર્મીઓનો કોવિડ ટેસ્ટ થયો જેમાં 400 થી વધુ લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
દેશભરમાં કોરોના સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,41,986 નવા કેસ નોંધાયા છે.નવા કેસ આવતા જ દેશમાં એક્ટીવ કેસની સંખ્યા 4, 4,72,169 થઇ ગયા છે
દેશમાં 24 કલાકમાં 1 લાખ 40થી વધારે નવા કેસ આંકડા સામે આવ્યા
દેશમાં કોરોના વાયરસમાં કેસોમાં બહું તેજીની સાથે વધારો થઈ રહ્યો છે. શનિવારને વખતે 24 કલાકમાં 1 લાખ 40થી વધારે નવા કેસ આંકડા સામે આવ્યા છે. 7 મહિના બાદ સતત બીજા નવા કેસ 1 લાખથી વધારે મળ્યા છે. શુક્રવારે મોડી રાતે 1, 41, 525 નવા કેસ મળ્યા હતા. જ્યારે બે નાના રાજ્યોમાં ડેટા આવવાના બાકી હતા. આનાથી પહેલા શુક્રવારે 1 લાખ 17 હજાર નવા કેસ નોંધવામાં આવ્યા હતા. 28 ડિસેમ્બર બાદ કેસોમાં વધારો જારી છે. આ 11 દિવસોમાં દર રોજ 20 ટકાથી વધારે નવા કેસ મળ્યા છે. એટલુ જ નહીં આમાંથી 4 દિવસ એવા હતા જ્યારે કોરોનાના નવા કેસનો ગ્રોથ 40 ટકાથી વધારે રહી. આ ઉપરાંત 2 દિવસ એવા પણ રહ્યા છે. જ્યારે નવા કેસોના આંકડા વિતેલા કાલની સરખામણીએ 55 ટકાથી વધારે હતા.
મહારાષ્ટ્રમાં જ્યાં સુધી કોરોનાથી સ્થિતિ ગંભીર ન બને ત્યાં સુધી લોકડાઉન નહીં-ટાસ્ક ફોર્સ ચીફ
મહારાષ્ટ્રમાં કોરોના ટાસ્ક ફોર્સના સલાહકાર સભ્ય અને મુંબઈમાં ખાનગી હોસ્પિટલોની સમન્વય સમિતિને પ્રમુખ ડો. ગૌતમ ભંસાલીએ કહ્યું કે રાજ્યમાં જ્યાં સુધી સ્થિતિ ગંભીર નથી થતી અને કોરોના 19 માં ઘણા ગંભીર મામલા હોસ્પિટલમાં દાખલ નથી કરાવવામાં આવતા ત્યાં સુધી કોઈ લોકડાઉન નહીં લાગે. લોકડાઉન હજું એક વિકલ્પ હશે જ્યારે લોકો ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ આવવાનું શરુ કરી દેશે અથવા હોસ્પિટલમાં લાંબા સમય સુધી ગંભીર બની રહેશે.
ખાનગી હોસ્પિટલમાં 7,000 બેડ છે. ડો. ગૌતમ ભંસાલીએ કહ્યું કે અમારીપાસે ખાનગી હોસ્પિટલમાં 7,000 બેડ છે અને જો જરુર પડશે તો અમારા બેડની સંખ્યા વધારવામાં આવશે. હકિકતમાં જલ્દી જ 12000 બેડ જોડવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં હાલમાં 50 ટકા બેડ છે. સરકારી અને બીએમસી દ્વારા સંચાલિત હોસ્પિટલમાં લગભગ 30 ટકા બેડને રાખવામાં આવ્યા છે. બુધવારે મહારાષ્ટ્રમાં તાજા કોરોનાના 16 538 મામલા અને 8 મોતની સુચના છે. નવા મામલામાંથી મુંબઈમાં સૌથી વધારે 15, 166 સંક્રમિત મળ્યા છે.