સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું કે ચૂંટણી હોય ત્યારે નેતાઓ મત માંગવા આવી જતા હોય છે હવે કેમ ભાજપના કોર્પોરેટરો દેખાતા નથી
મનપાના ડિમોલિશન કાર્યવાહી બાદ વિવાદ
TP રોડ પસાર થતા ડિમોલિશન કરાયાનું રટણ
ચોમાસામાં ક્યાં આશરો લેવો તે પ્રશ્ન, સ્થાનિકોનો રાષ
રાજકોટમાં મનપાનાએ કરેલા ડિમોલિશનથી વિવાદ સર્જાયો છે.
ગઈકાલે મહાનગર પાલિકાએ મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી જેમાં ખોડિયારનગરમાં આવેલા 81 મકાનો પર બુલડોઝર ફેરવી દેવામા આવ્યું હતું જેને લઈ સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
TP રોડ પસાર થતા ડિમોલિશન કરાયાનું રટણ
મહત્વનું છે કે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે મનપાની કામગીરીને લઈ સવાલો ઉઠી રહ્યા છે સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે નેતાઓ મત માંગવા આવી જતા હોય છે હવે અનેક પરિવારોના આશરો છિનવાયો છે ત્યારે કોઈ નજર કરવા પણ આવતું નથી.
રાજકોટમાં મનપાના ડિમોલિશન કાર્યવાહી બાદ વિવાદ
રાજકોટ મનપાએ ડિમોલિશનની કાર્યવાહીમાંમાં મનપાની ટીપી શાખા, PGVCL, મનપા વિજિલન્સ અને શહેર પોલીસને સાથે રાખીને ખોડિયાર નગરમાં 81 જેટલા મકાનો પર બુલડોઝસ ફેરવી દીધું હતું જે બાદ સ્થાનિકોમાં રોષ ભરાયા છે હવે અનેક પરિવારોનો આશરો છિનવાયો છે ત્યારે પરિવારો મનપા પર આક્ષેપ કરી રહ્યા છે.
સ્થાનિકોનો રોષ કહ્યું મત માંગવા આવતા કોર્પોરેટરો કેમ દેખાત નથી
ડેમોલિશનની કાર્યવાહી દરમિયાન મનપાએ જણાવ્યું કે ખોડિયારનગરમાં ટીપી રોડ પસાર થવાનો હોવાથી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. મનપાએ ડિમોલિશન કરી 12.80 કરોડની જમીન ખુલ્લી કરી છે.
મત માગવા આવતા ભાજપના કોર્પોરેટરો કેમ દેખાત નથી
જો કે ડેમોલિશન કાર્યવાહી બાદ હવે પોતાના આશિયાના બર બુલડોઝર ફેરવાઈ જતા અનેક પરિવારોએ ઘરવિહોણા બન્યા છે અંદાજીત 80 મકાનમાં 120 પરિવાર રહે છે, જેની હાલ ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થતિ જોવા મળી રહી છે. ત્યારે આ પરિવારજનોએ સ્થાનિક તંત્ર પર અને મનાપાનિ નિર્દયતા પર સવાલો ઉઠાવ્યા હતા.