બિહારની ચૂંટણી માટે પડઘમ વાગી ચૂક્યા છે, રાજકીય પક્ષો તમામ હથિયારો સાથે પ્રચાર યુદ્ધમાં ઉતરી પડ્યા છે ત્યારે ભાજપે જાહેર કરેલા વાયદા પત્રમાં એક જાહેરાત સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપે મફત કોરોના રસી આપવાનું વચન આપ્યું છે, જેની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે.
બિહાર ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો હતો મેનિફેસ્ટો
કોરોના રસીને લઇને હજુ સુધી કોઈ જ નીતિ જાહેર કરાઇ નથી
ચૂંટણી પંચમાં આની વિરુદ્ધ દાખલ કરાઇ છે ફરિયાદ
ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. ભાજપે ચૂંટણીને લઈને ઘણાં વચનો આપ્યા છે, પરંતુ એક જાહેરાતમાં વિવાદ ચગ્યો છે. ભાજપ નું કહેવું છે કે જો તે સત્તામાં આવે તો તેને તમામ બિહારીઓ માટે કોરોના રસી રસી મફતમાં મળી જશે. હવે આ મામલો ચૂંટણી પંચ સમક્ષ ગયો છે.
એક એક્ટિવિસ્ટે દાખલ કરાવી હતી ફરિયાદ
એક્ટિવિસ્ટ સાકેત ગોખલે એ ગુરુવારે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી છે કે, રસી પૂરી પાડવાનો ભાજપ નો આ દાવો ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકારની સત્તાઓનો દુરુપયોગ છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ કોઈ ભાજપ ના નેતાની ઘોષણા નથી પરંતુ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલી ઘોષણા છે.
It's a #BiharElections manifesto. Centre makes vaccines available at a minimum price, we promised our govt in Bihar will make it free of cost. Political parties should be sensitive when it comes to public health. We'll fulfill our promise: Bhupender Yadav, Bihar's BJP incharge https://t.co/tcRA8sNbaspic.twitter.com/CV83OrwEWh
હવે સવાલ ઉભો થયો છે કે ભારત સરકાર દ્વારા કોરોના રસીના વિતરણ માટે કોઈ સત્તાવાર નીતિની ઘોષણા કરવામાં આવી નથી, જેથી કોરોના રસી આપવાનું ધોરણ શું હશે તે નક્કી કરી શકાય. કોરોનાને કારણે દેશના દરેક રાજ્યોએ મુશ્કેલી સહન કરી છે અને બિહારની જેમ, દરેક રાજ્યના લોકો તેનાથી પ્રભાવિત છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે જાહેર કર્યો હતો સંકલ્પ પત્ર
મહત્વનું છે કે બિહારમાં ભાજપના ઠરાવ પત્રને ગુરુવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે જાહેર કર્યો હતો. ઠરાવ પત્રમાં કુલ 11 વચનો આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ વચન નિશુલ્ક કોરોના રસી માટેનું છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતમાં ICMR દ્વારા કોરોના રસી ની રસી તરત જ માન્ય થઈ જશે, ત્યારબાદ સરકારની રચના બાદ બિહાર ના તમામ લોકોને મફત રસી આપવામાં આવશે.
બિહારમાં એક અઠવાડિયા પછી પહેલા તબક્કાના મતદાન થવાનું છે, આવી સ્થિતિમાં ભાજપ હવે પોતાનો સંકલ્પ પત્ર લાવ્યો છે. શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ માટેના પ્રચારનું બ્યૂગલ ફૂંકશે.