કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં બબાલ થઈ ગઈ છે. જેમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે જે લોકોએ આ સમયે ચિઠ્ઠી લખી છે તે ભાજપ સાથે મળેલા છે. આ નિવેદન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ નારાજ થયા હતા અને પલટવાર કરી રહ્યા હતા. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે બેઠક દરમિયાન ટ્વીટ કરી હતી.
કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે બેઠક દરમિયાન ટ્વીટ કરી હતી
વરિષ્ઠ નેતાઓ નારાજ થયા હતા અને પલટવાર કરી રહ્યા હતા
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે તે ભાજપ સાથે મળેલા છે.
તેમણે ટ્વીટમાં લખ્યુ હતુ કે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છીએ. મે રાજસ્થાન હાઈકોર્ટમાં કોંગ્રેસ પાર્ટીનો યોગ્ય પક્ષ રાખ્યો હતો. મણિપુરમાં પાર્ટીને બચાવી હતી. છેલ્લા 30 વર્ષથી કોઈએ આવું નિવેદન આપ્યુ નથી જેનાથી ભાજપને ફાયદો થાય. તો પણ કહેવામાં આવી રહ્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છીએ.
આ ઉપરાંત ગુલામ નબી આઝાદે કહ્યું કે જો તેઓ કોઈ પણ રીતે ભાજપ સાથે મળેલા છે તો રાજીનામુ આપી દેશે. આઝાદે કહ્યું કે ચિઠ્ઠી લખવાનું કારણ કોંગ્રેસ કાર્યસમિતિ હતી.
ઉલ્લેખનીય છે કે કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદ તે 23 નેતાઓમાં સમાવિષ્ઠ છે જેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટી પહેલા ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠીમાં કોંગ્રેસના મુખ્ય નેતૃત્વ પર સવાલ ઉભા કર્યા હતા અને કહ્યું હતુ કે આ સમયે એવા અધ્યક્ષની જરુર છે જે સંપૂર્ણ રીતે પાર્ટીને સમય આપી શકે.
ત્યારે આજે યોજાયેલી બેઠકમાં સોનિયા ગાંધીએ ચિઠ્ઠીના વિવાદ બાદ રાજીનામું આપવાની વાત કરી છે. જોકે અનેક વરિષ્ઠ નેતાઓએ તેમને આમ ન કરવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાહુલે નારાજગી વ્યક્ત કરી. આ બેઠકમાં રાહુલ ગાંધીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ કે જે સમયે પત્ર મોકલવામાં આવ્યો તે સમયે સોનિયા ગાંધી બિમાર હતા. તેમણે પત્રના સમય પર સવાલ પુછતા કહ્યુ કે કોંગ્રેસ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના રાજકિય સંકટનો સામનો કરી રહી હતી, જ્યારે અધ્યક્ષ બિમાર હતા ત્યારે આ ચિઠ્ઠી કેમ મોકલવામાં આવી. તેમજ રાહુલ ગાંધીએ પત્ર મોકલનારાઓ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો.