ગુજરાત વિધાનસભા ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજકીય મેદાનમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. એકબીજા પક્ષ પર આરોપ પ્રતિઆરોપ કરવામાં આવી રહ્યાં છે. આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ભાજપ આકરા પ્રહાર કર્યો હતા. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, જાહેરાત કરવા કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહ્યા છે તેમજ તેમણે આચાર સંહિતા મુદ્દે પણ કેટલાક પ્રહારો કર્યો હતાં તેમજ કામિનીબાના રાજીનામા મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.
જગદીશ ઠાકોરના ભાજપ પર પ્રહાર
ગુજરાત કોંગ્રેસ પ્રેદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર આકાર પ્રહારો કરતા કહ્યું હતું કે, જાહેરાત કરવા કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહ્યા છે તેમણે કહ્યું કે, 71 હજાર નોકરી આપવાની વાત કરે છે અને જાહેરાત કરો છો અને ચૂંટણી વખતે બોલો છો તે રજૂ કરો તેમણે કહ્યું કે, વેબસાઇટ જાહેર કરો છો અને શ્વેત પત્ર ભાજપ બહાર પાડે છે ચૂંટણીના સમયમાં આચાર સંહિતા ચાલે છે તેમણે કહ્યું કે, આ જાહેરાત કેટલી વ્યાજબી છે તે ચૂંટણી પંચને પણ આ સવાલ છે તેમણે ભાજપના વાયાદ બાબતે કહ્યું કે, ધોલેરા એરપોર્ટ સહિતની અનેક જાહેરાત કરી છે ફોટો તો બતાવો કેવું અને ક્યારે બનશે.
ચૂંટણી આવે એટલે બધી જાહેરાત કરે છે: જગદીશ ઠાકોર
કોંગ્રેસ પ્રમુખ ઠાકોરે જણાવ્યું કે, ચૂંટણી આવે એટલે બધી જાહેરાત કરે છે ગુજરાતની જનતાએ તમાર થી મોહ ફેરવી લીધું છે તેમણે જણાવ્યું કે, પ્રજા હવે ભર્માવાની નથી અને ચૂંટણીની આચારસંહિતા છે.
એક જ કલાકમાં હેલિકોપ્ટરની મંજુરી રદ કરી:જગદીશ ઠાકોર
જગદીશ ઠાકોરે જણાવ્યું કે, કોંગ્રેસને પેહલા સુરત જવા બે હેલિકોપ્ટર જવાની મંજૂરી મળી અને ચૂંટણી પંચને જાણ કરી અને સુરતથી મહુવા જવાની મંજૂરી મળી હતી તેમજ બાદમાં એક જ હેલિકોપ્ટરની મંજુરી આપી તેમણે કહ્યું કે, એક જ કલાકમાં હેલિકોપ્ટરની મંજૂરી રદ કરી દીધી છે.
કામિની બા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કામિનીબા મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કામિનીબા ભાજપમાં જોડાઈ ગયા છે. તેમને સવાલ કરાયો હતો કે, તેઓએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતા જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, કામિનીબાને આક્ષેપના જવાબ મળવાના હતા માટે ભાજપમાં જોડાયા છે.
કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામુ
કોંગ્રેસથી લાંબા સમયથી નાજર કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી ટિકિટ ન આપતા કામિનીબા નારાજ હતા અને કામિનીબા રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ તેઓ અપક્ષ ઉમેદવારી પરત ખેચી લીધી છે.
કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા
તાજેતરમાં જ દહેગામ બેઠકને લઈને કોંગ્રેસના નેતા કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતો. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, મારી પાસે ટિકિટ માટે 1 કરોડની માંગણી કરવામાં આવી હતી. જે બાદ 50 લાખમાં ટિકિટ આપવાનું સેટિંગ કરવામાં આવ્યું હતું. જો કે, હું પૈસાની માગ પૂરી ન કરી શકતા અન્યને 1 કરોડમાં ટિકિટ વેચી દેવામાં આવી હોવાનું કહ્યું હતું.