જગદીશ ઠાકોરે પીએમ મોદીને અપીલ કરતો વીડિયો જાહેર કરી કહ્યું છે કે અન્ય દેશની બોર્ડર પર ભારતીય વિદ્યાર્થીઓ ભટકી રહ્યા છે
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે PM મોદીને કરી વિનંતી
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈ કરી વિનંતી
યુક્રેનમાં યુદ્ધ ચરમસીમા પર પહોંચ્યું છે-જગદીશ ઠાકોર
ભારતીય વિદ્યાર્થીઓનો યુક્રેનમાં મુશ્કેલીમાં છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રધાનમંત્રી મોદીને અપીલ કરતો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં યુદ્ધ ચરમસીમા પર પહોંચ્યું છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે તાત્કાલિક પૂરતી વ્યવસ્થા કરવામાં આવે.અન્ય દેશની બોર્ડર પર ભારતીય વિદ્યાર્થીઓ ભટકી રહ્યા છે. આપણા દેશમાં સસ્તું અને સારું શિક્ષણ ના મળતા બાળકો વિદેશ ગયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો સાથે જ કટાક્ષ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસે 19 ફેબ્રુઆરીએ જ કહ્યું હતું કે આગોતરું આયોજન કરવામાં આવે પણ સરકાર મોડી જાગી.
યુદ્ધમાં ભારતીય વિદ્યાથીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી: જગદીશ ઠાકોર
રશિયા અને યુક્રેનના મહાયુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ દુઃખદ સમાચાર છે. હું તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને હું અન્ય તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તમે શક્ય તેટલી વહેલી તકે સલામત સ્થળે પહોંચી જાઓ. અને ભારત સરકારને અપીલ કરીએ છીએ કે દરેક ભારતીયને જલ્દીથી પરત લાવવામાં આવે!
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થી મોતને ભેટ્યો
ભારત માટે માઠા સમાચાર આવ્યાં છે.યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પહેલા ભારતીયનો ભોગ લેવાયો છે. યુક્રેનના ખારકીવ શહેરમાં રશિયાના તોપમારામાં કર્ણાટકના ચેલાગિરી જિલ્લાના વતન અને નવીન એસ.જી નામના વિદ્યાર્થીનું મોત થયું છે. મૃતક વિદ્યાર્થીનું નામ નવીન એસ.જી છે જે કર્ણાટકના ચેલાગિરી જિલ્લાના વતની હતો. નવીન યુક્રેનના બીજા મોટા શહેર ખારકીવમાં રહીને મેડિકલ યુનિવર્સિટીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ખારકીવમાં હાલમાં રશિયાનો ભીષણ તોપમારો ચાલી રહ્યો છે. રશિયા કોઈ પણ ભોગે ખારકીવ પર કબજો કરવાની ફિરાકમાં છે એટલે અહીં અંધાધૂંધ તોપમારો કરવામાં આવી રહ્યો છે અને હાલમાં ત્યાં બીજા ઘણા ભારતીયો ફસાયા છે. મહત્વનું છે કે ગઈ કાલથી રશિયા-યુક્રેન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ થયા બાદ આજ સવારથી રશિયાએ યુક્રેન શહેરમાં હુમલાની ગતિવિધિ તેજ કરી દીધી છે. જેના પગલે યુક્રેનના મોટા શહેરોમાં ભારે બોમ્બમારો શરૂ કરી દીધો હતો.
PM મોદીએ યુક્રેન યુદ્ધ પર 5મી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
યૂક્રેનમાં ફસાયેલા ભારતીઓને લઇને પીએમ મોદીની આ 5મી હાઈ લેવલ બેઠક છે. આ દરમિયાન બેઠકમાં કેટલાક કેન્દ્રીય મંત્રી પણ હાજર રહ્યા. PM મોદીએ બેઠકમાં ઓપરેશન ગંગા સંબધિત માહિતી મેળવી છે. પીએમ મોદીએ સોમવારે પણ હાઈ લેવલ બેઠક કરી હતી, જેમાં તેમણે ભાર આપ્યો હતો કે ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમને તાત્કાલિક પર લાવવાની સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા છે.
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ સ્લોવાકિયા જવા રવાના
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ સ્લોવાકિયા જવા રવાના થયા છે તેઓ ભારત સરકારના વિશેષ દૂતને બનીને ત્યાં જઈ રહ્યાં છે. સ્લોવાકિયા પહોંચીને રિજ્જુ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવ અભિયાનનું ધ્યાન રાખશે.
કિરણ રિજ્જુ સ્લોવાકિયા પહોંચીને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવી રહેલા ભારતીયોના બચાવકામનું ધ્યાન રાખશે. યુક્રેનના ખારકીવમાં રશિયાના હુમલામાં કર્ણાટકના વિદ્યાર્થી નવીનનું મોત થતા મોદી સરકારે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ ભારતીય વિદેશ મંત્રાલયે ત્વરિત કાર્યવાહી કરી છે. ભારતીય વિદેશ સચિવ હર્ષ શ્રુંગલાએ રશિયા અને યુક્રેનના રાજદૂત સાથે વાત કરીને તેમને ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું જણાવ્યું હતું. ભારતે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને બીજા કોઈ ભારતીયોનો જાન ન જાય તે માટે બન્ને દેશોના રાજદૂતોને આગ્રહ કર્યો છે.
ગઇકાલે યૂક્રેનના પાડોશી દેશો સાથે સહયોગ વધુ વધારવાને લઇને પણ થઇ ચર્ચાઃ સૂત્ર
યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઇને પ્રધાનમંત્રી મોદીએ કરી વધુ એક બેઠક કરી હતી. જેમાં રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે હાલની સ્થિતિને લઇને ચર્ચા થઇ હતી. આ બેઠકમાં અનેક કેન્દ્રીયમંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં મુખ્યત્વે ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમની વાપસીને લઇને ચર્ચા કરી હતી. તેમાં વિદ્યાર્થીઓની વાપસીની સુનિશ્ચિતતા સરકારની સર્વોત્તમ પ્રાથમિકતા છે. મહત્વના સૂત્રો મુજબ યૂક્રેનના પાડોશી દેશો સાથે સહયોગ વધુ વધારવાને લઇને પણ ચર્ચા થઇ હતી. તેમજ યુદ્ધગ્રસ્ત યૂક્રેનના પાડોશી દેશો સાથે સહયોગ વધારવાને લઇને પણ થઇ ચર્ચા થઇ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ. જયશંકર, NSA અજીત ડોભાલ તેમજ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.