કોંગ્રેસે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે કેજરીવાલે સરકારની નીતિઓ સામે વિધાનસભાનો ઘેરાવ કરી સરકાર સામે આહ્વાન કર્યું હતું.
દિલ્હી વિધાનસભામાં આજે મોન્સુન સત્ર
મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે પ્રદર્શન
કેજરીવાલ સરકારનું વધ્યું ટેન્શન
દિલ્હી વિધાનસભામાં આજે મોન્સુન સત્ર
દિલ્હી વિધાનસભામાં આજે મોન્સુન સત્ર શરૂ થઈ રહ્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિધાનસભાની બહાર જોરદાર હંગામો શરૂ કર્યો હતો. કોંગ્રેસે ત્રણ મુદ્દે કેજરીવાલ સરકાર પાસેથી જવાબ માંગી રહી છે અને તેના કારણે જોરદાર દેખાવ કરી રહ્યા છે. કોંગ્રેસ ઈચ્છે છે કે દિલ્હી સરકાર DTC બસ ખરીદવાનું કૌભાંડ, દિલ્હીમાં પીવાના પાણીની સમસ્યા અને મોંઘવારી પર જવાબ આપે.
केजरीवाल के खिलाफ लोगों की नाराजगी साफ जाहिर हो रही है, कांग्रेस कार्यकर्ताओं के साथ @Ch_AnilKumarINC जी के नेतृत्व में आज आम जनता भी अपना समर्थन देने आई है। pic.twitter.com/YXohq8nVqL
મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે પ્રદર્શન
કોંગ્રેસે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે કેજરીવાલે સરકારની નીતિઓ સામે વિધાનસભાનો ઘેરાવ કરી સરકાર સામે આહ્વાન કર્યું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રદર્શન કરતાં કરતાં પોલીસ દ્વારા લગાડવામાં આવેલ બેરીકેડ પણ તોડી નાખ્યા હતા અને સરકારમાં મંત્રીઓ, ધારાસભ્યોને ઘેરી લીધા હતા.
કેજરીવાલ સરકારનું વધ્યું ટેન્શન
જો વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે હંગામો શરૂ થઈ ગયો હતો. સંસદમાં ભાજપના ધારાસભ્ય ઓપી શર્માએ આપના ધારાસભ્યને પોતાની ઓકાતમાં રહે તેવી વાત કરી હતી. આ વાતનો પણ સખત વિરોધ થયો. સ્પીકરે ઓપી શર્માને માફી માંગવાનું કહ્યું પણ તેમણે માફી માંગી નહીં. જેના કારણે તેમેને એક દિવસ માટે સદનમાંથી બહાર કરી દેવામાં આવ્યા.