લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન આગામી સમયમાં યોજાવાનું છે અને આજે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપની સાથે કોંગ્રેસે પણ એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે, હું ઇચ્છું છું કે વડાપ્રધાન કેટલાક સવાલોના જવાબ આપે.
Congress President Rahul Gandhi on opposition alliance: I have said it clearly, public will decide on May 23, and the basis of which we will work. pic.twitter.com/cm38Xh47fV
આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે, મને સારું લાગ્યું કે, આજે વડાપ્રધાન મોદીએ પત્રકારોને સંબોધન કર્યું. તો ફરીએકવાર રાહુલે PM મોદી પર વાક પ્રહાર કરતા કહ્યું હતું કે, હું નરેન્દ્ર મોદી નથી, હું સિનિયર લોકોને ધક્કો મારતો નથી.
આ સાથે જ રાહુલે ચૂંટણીપંચ પર નિશાન સાધતા કહ્યું કે, આ વખતે ચૂંટણીપંચનું વલણ યોગ્ય રહ્યું નહીં.
તો રાહુલે વધુમાં કહ્યું કે, આ વખતે ભાજપ હારી રહ્યું છે.
Congress President Rahul Gandhi on opposition alliance: I have said it clearly, public will decide on May 23, and the basis of which we will work. pic.twitter.com/cm38Xh47fV
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે વડાપ્રધાન મોદીના જુઠ્ઠાણાને ઉજાગર કર્યા છે. અમે લોકોને જણાવ્યું કે, તેઓ 15 લાખ રૂપિયા નથી આપી શકતા. 23 તારીખે ખબર પડી જશે કે, જનતા શું ઇચ્છે છે. આ વખતે ચૂંટણી પ્રચારમાં અમે નરેન્દ્ર મોદીને પાછળ રાખી દીધા તેવી વાતનેો પણ રાહુલ ગાંધીએ ઉલ્લેખ કર્યો હતો.