નવી દિલ્હીઃ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનો મહાઅધિવેશન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમના ગીતથી કરવામાં આવી હતી. મહત્વનુ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનુ પ્રથમ અધિવેશન યોજાયુ. આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મનમોહનસિંહ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના 12 હજાર કાર્યકર્તાઓ હાજર રહ્યા.
આ મહાઅધિવેશનમાં મુખ્ય 4 પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. મહાઅધિવેશનમાં રાજનિતિક પ્રસ્તાવ વિદેશનીતિ પ્રસ્તાવ અર્થ વ્યવસ્થા પ્રસ્તાવ તથા ખેતીવાડી અને રોજગાર તથા ગરીબી નાબૂદી પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના આજથી શરૂ થનારા મહાઅધિવેશનમાં આગમી 5 વર્ષની કોંગ્રેસની દિશા વિચાર અને માર્ગ નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ કોન્સ્ટીટયુશનલ ભવનમાં કોંગ્રેસની વિશેષ સબજેક્ટ કમિટીની બેઠક સંપન્ન થઈ હતી. જેમાં કોંગ્રેસ પક્ષની સ્ટીયરિંગ કમિટીના સભ્યો અને સંસદીય દળના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 4 પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા.