ખાતરકાંડ મામલે કોંગ્રેસના આગેવાનોએ નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. મુલાત બાદ કોંગ્રેસના પાલ આંબલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કિસાન કોંગ્રેસ દ્વારા ખાતર કૌભાંડ બહાર પાડવામાં આવ્યું છે. GSFCના અધિકારીએ મીડિયાને માધ્યમ બનાવી ખેડૂતને ખોટી માહિતી આપી રહ્યા છે. ખાતર કૌભાંડની તપાસની સમય મર્યાદા નક્કી કરવામાં આવે તેવી માગ કરી હતી. છેલ્લા 4 વર્ષમાં ખાતર ખરીદનાર ખેડૂતોને વળતર મળે તેવી પણ માગ કરી હતી. જોકે, સમગ્ર મામલે નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે ઉડાઉ જવાબ આપ્યો હતો.