વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને કેરળના તિરુવનંતપુરમથી સાંસદ શશિ થરૂરે જમ્મૂ કાશ્મીરને લઇને મોટુ નિવેદન આપ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે સોમવારે પત્રકારો સાથે વાત કરતા કાશ્મીરને ભારતનો આંતરિક મામલો બતાવ્યો.
થરૂરે કહ્યું કે કાશ્મીરનો મુદ્દો પૂર્ણ રીતે ભારતનો આંતરિક મુદ્દો છે. એમણે કહ્યું કે અમે વિપક્ષી પાર્ટીઓના લોકો સરકારની નીતિઓની ટીકા કરી શકીએ છીએ. પરંતુ તેનો અર્થ એ ક્યારેય નથી કે કોઇ બીજો દેશ આપણી સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવી શકે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે દેશની બહાર અમે એક છીએ. શશિ થરૂરે કહ્યું કે એક તરફ આપણે કહી રહ્યા છો કે કાશ્મીર આપણો આંતરિક ભાગ છે, જ્યારે બીજી તરફ અમે તેમની સામે કેટલાક સવાલ પણ ઉઠાવી રહ્યા છીએ.
એમણે કહ્યું કે કાશ્મીરના લોકો પોતાના પરિવારજનો સાથે વાત કરી શકતા નથી. બાળકો સ્કૂલ જઇ શકતા નથી. થરૂરે કહ્યું કે કાશ્મીરની આ સ્થિતિ અલોકતાંત્રિક છે. આપણા ચૂંટાયેલા નેતાઓને ઘરોમાં નજરબંધ કરવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પબ્લિક ફોરમમાં તેઓ પોતાના વિચાર રાખી શકતા નથી. અમે વિપક્ષ તરિકે સરકારને સવાલ પૂછવાનું ચાલુ રાખીશું.